આગની ઘટના મા નુકશાન થયેલ ખેડૂતે અજાણ્યા શખ્સ સામે પોલીસ મથકે અરજી કરી..
પાટણ તા. ૭
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામ ના ખેડૂતનાં ખેતરમાં ગત મંગળવારના રોજ રાત્રીનાં અંધારા માં ૧ વાગ્યાના સમયગાળા દરમિયાન તૈયાર પાકનાં ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આગ લગાવી બાળી નાખતા ખેડૂત ને મોટા પાયે નુકશાન થવા પામ્યું હોવાની ખેડૂતે સમી પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ સમી તાલુકાના વાવલ નજીક ખેડૂત સાધુ મહેશભાઈ નાં ખેતરમાં વાવેતર કરાયેલ ૨૦૦ મણ ચણા કિંમત રૂપિયા ૨ લાખ આસપાસ જેટલા નો પાકમાં કોઈ અજાણ્યા ઈસમે આગ ચાંપી દેતા ચણા નો પાક સળગીને રાખ થતાં ખેડૂત ને નુકશાન થવા પામ્યું હતું. જે ઘટના ને પગલે અજાણ્યા લોકો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ સાથે ખેડૂતે હાલતો સમી પોલીસ મથકે જાણ કરી લેખિતમાં અરજી કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી