શોભાયાત્રા,નવચંડી યજ્ઞ અને રમેલ જેવા ધામિર્ક પ્રસંગો ઉજવાયા..
વાળીનાથ ધામના પ.પૂ.મહંત શ્રી જયરામગીરી બાપુ સહિત ભુવાજીઓએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યાં..
પાટણ તા. ૨૦
પાટણ ના ભલગામ ખાતે બિરાજમાન શ્રી ચેહર માતાજી અને શ્રી વીર મહારાજ ના નવીન મંદિર નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલ મા યોજાયો હતો. આ પ્રસંગે શોભાયાત્રા, નવચંડી યજ્ઞ તેમજ રાત્રે રમેલ યોજાઈ હતી. વાળીનાથ ધામ ના પ.પૂ.મહંત 1008 શ્રી જયરામગીરી બાપુ સહિત ભુવાજી ઓ ઉપસ્થિત રહી રૂડા આશીર્વાદ પાઠવ્યાં હતાં.
પાટણ ના ભલગામ ખાતે સમસ્ત ભોકુ પરીવાર દ્વારા બનાવવામાં આવેલ શ્રી ચેહર માતાજી અને શ્રી વીર મહારાજ ના નવિન મંદિરના બે દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આયોજન ને સફળ બનાવવા ભોકુ પરીવાર ના વડીલો, આગેવાનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ ધાર્મિક પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ ખાસ ઉપસ્થિત રહી માતાજી સહિત ભુવાજીઓ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી