fbpx

પાટણ ના ભલગામ ખાતે શ્રી ચેહર માતાજી અને શ્રી વિર મહારાજ નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..

Date:

પાટણ તા. ૨૦
પાટણ ના ભલગામ ખાતે બિરાજમાન શ્રી ચેહર માતાજી અને શ્રી વીર મહારાજ ના નવીન મંદિર નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલ મા યોજાયો હતો. આ પ્રસંગે શોભાયાત્રા, નવચંડી યજ્ઞ તેમજ રાત્રે રમેલ યોજાઈ હતી. વાળીનાથ ધામ ના પ.પૂ.મહંત 1008 શ્રી જયરામગીરી બાપુ સહિત ભુવાજી ઓ ઉપસ્થિત રહી રૂડા આશીર્વાદ પાઠવ્યાં હતાં.

પાટણ ના ભલગામ ખાતે સમસ્ત ભોકુ પરીવાર દ્વારા બનાવવામાં આવેલ શ્રી ચેહર માતાજી અને શ્રી વીર મહારાજ ના નવિન મંદિરના બે દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આયોજન ને સફળ બનાવવા ભોકુ પરીવાર ના વડીલો, આગેવાનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ ધાર્મિક પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ ખાસ ઉપસ્થિત રહી માતાજી સહિત ભુવાજીઓ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં ITI ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવી અપીલ..

પાટણ તા. ૨૨નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર હેઠળ...

પાટણ પાલીકા દ્વારા રૂ. 25 હજારથી ઉપરના બાકી વેરા મિલકત ધારકોના બેનરો દરેક વોડૅ વિસ્તારમા લગાડવામાં આવશે..

પાટણ પાલીકા દ્વારા રૂ. 25 હજારથી ઉપરના બાકી વેરા મિલકત ધારકોના બેનરો દરેક વોડૅ વિસ્તારમા લગાડવામાં આવશે.. ~ #369News