18 નવદંપતિએ સમાજના રીતરિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યાં..
પાટણ તા. ૨૩
શ્રી પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ૨૦ મો સમૂહ લગ્નોત્સવ ગુરૂવારે શહેરના ખોડાભા હોલ પાટણ ખાતે યોજાયો હતો જેમાં ૧૮ નવ યુગલો એ સમાજના રીતરિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
સમૂહ લગ્નમાં જોડાયેલા નવદંપતીઓને સમાજના દાતા પરિવારો દ્વારા વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા વણકર સમાજ માં ખોટા ખર્ચ અટકે અને સમાજ માં કુરિવાજો નો અટકાવ થાય અને સામાજિક ક્ષેત્રે સમાજ ઓછા ખર્ચ માં સામૂહિક લગ્ન પ્રસંગ યોજી શકે તેવા પ્રયત્નો ને સૌએ સરાહનીય લેખાવી સમૂહ લગ્ન સમિતિને શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી