fbpx

વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે માતાજી ની અસ્વારી સહિત ધાર્મિક ઉત્સવો ઉજવાયા..

Date:

પાટણ તા. ૨૩
વૈશાખ સુદ પૂનમને ગુરૂવારના પવિત્ર દિવસે પાટણ શહેરના સિદ્ધિ સરોવર સમીપ આવેલા શ્રી પાટણ મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજના શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો ની સાથે સાંજે મંદિર પરિસર ખાતેથી માતાજીની ભક્તિ સંગીતના સુરો વચ્ચે અસવારી નીકળી હતી.

આ અસવારીના યજમાન પદે કનૈયા ઓટો પાર્ટ્સ વાળા અશોકકુમાર કાંતિલાલ મોદી હસ્તે નિલેશ ભાઈ મોદી પરિવારે લ્હાવો લઈ માં બહુચર ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. શ્રી બાળા બહુચર માતાજી ના મંદિર પરિસર ખાતે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવો અને માતાજીના અસ્વારીના પ્રસંગે મોટી સંખ્યામાં પાટણ મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજના પરિવારજનો એ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઇ આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ. દ્વારા સ્નાતક – અનુસ્નાતક પરીક્ષાના પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ.

પાટણ તા. ૧૫હેમચંદ્રાચાર્ય ઉ. ગુ.યુનિ. દ્વારા વાર્ષિક પરીક્ષાના પરિણામો...

અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપની વર્ચ્યુઅલી બેઠક યોજાઈ..

આગામી તા.૧૭ મી એ વડાપ્રધાન ના જન્મ દિવસથી તા.૩૧...