ઉપસ્થિત સૌએ સ્વર્ગસ્થનિલ ની આત્માની શાંતિ માટે શ્રધ્ધા સુમન સમપિર્ત કરી પ્રાથૅના વ્યકત કરી સોકાતુર પરિવારજનોને સાત્વના પાઠવી…
પાટણ તા. ૩૧
પાટણ શહેરના જાણીતા બિલ્ડરની સાથે સાથે અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને રાજકીય ક્ષેત્રમાં પણ નાની ઉંમરે આગવી ઓળખ ઉભી કરી પાટણ નગર પાલિકા ના પૂવૅ ઉપપ્રમુખ પદે રહી શહેરના વિકાસ કામોને વેગવાન બનાવી શહેરીજનો ની પ્રાથમિક સુવિધા પરિપૂર્ણ કરનાર ઠકકર સમાજના યુવા દાનવીર લાલેશભાઈ ઠકકર અને વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર ના પ્રમુખ જગદીશભાઈ ઠકકર ( જે. ડી.) ના નાના ભાઈ અને પરિવારના સભ્યોની જેમ ઉદાર દિલવાળા વિપુલભાઈ ઠકકર ના એક ના એક પુત્ર નિલ નું હરિદ્વાર ગંગા નદી મા સમાઈ જવાથી નિપજેલ મોતની ધટના પગલે પરિવારજનો સહિત ઠકકર સમાજ સાથે અઢારે વણૅના સમાજના લોકોમાં ધેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.
સ્વગૅસ્થ નિલ ના આત્માની શાંતિ માટે શુક્રવારે લોહાણા સમાજની વાડી,મીરા દરવાજા ખાતે પરિવારજ નો દ્વારા આયોજિત શ્રધ્ધાંજલિ સ્વરૂપ પ્રાર્થના સભામાં ઠકકર સમાજની સાથે સાથે અઢારે વણૅના
સમાજ ના લોકો, તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ,વિવિધ સંગઠનો સહિત પાટણ અને આજુબાજુના ગ્રામ્ય, શહેરના સગા-સંબંધી અને સ્નેહીજનોએ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી સ્વ.નિલ ના આત્માની સાથે શ્રધ્ધા સુમન સમપિર્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
આ દુ:ખની ધડી મા સહભાગી બનનાર તમામ નો જગદીશભાઈ ઠકકર, લાલેશભાઈ ઠકકર અને વિપુલ ભાઈ ઠકકર સહિત ના પરિવારજનોએ સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી