પાટણ તા. ૯
પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે પાટણ પ્રજાપતિ સમાજ ના પરિવારજનો દ્વારા પ્રથમ પુત્રની પ્રાપ્તિને લઈને પરંપરા અનુસાર નીકળતા ચૈત્રી ગરબા મહોત્સવ ની ચૈત્રી અમાસના પવિત્ર દિવસે પૂર્ણાહુતિ થતા પ્રજાપતિ પરિવાર દ્વારા તેની ઉજવણીના ભાગરૂપે ભગવાન શ્રી પદ્મનાભજી ના સન્મુખ ભક્તિ સભર માહોલ વચ્ચે સેવા કરાવવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર મા સમાજના મહંતો દ્વારા ભજન ભક્તિ ભાવ સાથે ભગવાનની યજમાન પરિવારોની ઉપસ્થિત મા સેવા કરી શ્રી પદ્મનાભ ભગવાન ના રૂડા આશીર્વાદ મેળવી સૌ પરિવારજનોએ સમુહ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી