ખોદકામ દરમિયાન નિકળેલી ભગવાન બુધ્ધની પ્રતિમા ને નિહાળવા ગ્રામજનો ઉમટયા..
પાટણ તા. ૮
ઐતિહાસિક શહેર પાટણ પંથક માંથી ધરતી ઢંક ઈતિહાસ અવાર નવાર ઉજાગર થતો રહ્યો છે. ત્યારે ગતરોજ પાટણ થી દસ કિલોમીટર દૂર વસાઈ ગામે રહેતા ખુમાનસિહ વાઘેલાના નવીન બની રહેલ મકાનના પાયા ખોદકામની કામગીરી દરમિયાન બુધ્ધ ભગવાન ની સફેદ આરસ પથ્થર ની પાંચ ફુટની ઉંચાઈ ધરાવતી પ્રતિમા મળી આવતા અને આ બાબતે ગ્રામજનોને જાણ થતાં લોકો ખુમાનસિહ વાઘેલા ના નવીન બની રહેલ મકાનના સ્થળે પ્રતિમાને નિહાળવા ઉમટયા હતા.
વસાઈ ગામે મકાન માલિક વાઘેલા ખુમાનસિંહ ના પ્લોટ માંથી ભગવાન બુદ્ધ ની પાંચ ફૂટ ની આ પ્રતિમા મળતા ફરી એક વાર ઐતિહાસિક પાટણ પંથક નો ઈતિહાસ ઉજાગર થયો હોવાનો ગણગણાટ લોકો મા સાભળવા મળ્યો હતો. તો નાના બાળકો એ માટી માથી નિકળેલી ભગવાન બુધ્ધની પ્રતિમાને સ્વચ્છ પાણી થી સાફ કરી તેની પુજા અચૅના કરવામાં આવી હતી.
તો આ પ્રતિમા નિકળવાની ધટનાને ગ્રામજનોએ પવિત્ર લેખાવતા ખુમાનસિહ વાધેલાએ પણ પોતાના નવીન મકાનના પાયાના ખોદકામ દરમ્યાન નિકળેલી બુધ્ધ ભગવાન ની પ્રતિમાને લઈને પોતાની જાતને ધન્ય ભાગ લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી