fbpx

રાધનપુર ખાતે રાષ્ટ્રીય ક્ષય નાબુદી કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા.11

ભારત દેશના વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા “ટી.બી.મુકત ભારત” ના ઉપલક્ષ્ય માં રાષ્ટ્રીય ક્ષય નાબુદી કાર્યક્રમ તાલુકા આરોગ્ય કચેરી, રાધનપુર ખાતે આરોગ્ય અધિકારી ડો. કે. એચ. ઠકકર તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ડી. એન. પરમાર ની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો.

જેમાં દાતાઓમાં અશ્વિનભાઈ દાફડા, નિવૃત શિક્ષક ભવાનભાઇ પટેલ, જયદીપ સાધુ, ચિરાગ ભાઇ ચાવડા, અશ્વિન ભાઇ દલવાડી, પી. જે પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ દાતાઓ દ્વારા ક્ષય ના દર્દીઓને કુલ 100- પોષણ કીટ વિતરણ કરવા માં આવી હતી.

કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી રાધનપુર તથા જિલ્લા ક્ષય અધિકારી પાટણ દ્વારા દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. કાર્યક્રમ પ્રસંગે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા પંચાયત દ્વારા પાલિકામાં સામેલ ત્રણ ગામોમાં ઘનકચરાની કામગીરીનો રિપોર્ટ માગ્યો.

પાટણ તા. 2પાટણ જિલ્લા પંચાયત પાસે ગાંધીનગર વિકાસ કમિશ્નરે...