fbpx

કુરેજા કેનાલમાં છલાંગ લગાવનાર ધોકાવાડાના યુવાનની ફાયર વિભાગના કર્મચારીની શોધખોળ બાદ બીજા દિવસે લાશ મળી..

Date:

પાટણ તા. ૧૯
હારીજ-પાટણ હાઇવે પર પસાર થતી કુરેજા નર્મદા ની મુખ્ય કેનાલમાં ગુરૂવારે મોતની છલાંગ લગાવ નાર યુવાનની લાશ ફાયર વિભાગ ના કમૅચારી ઓની ભારે શોધખોળ બાદ શુક્રવારે મળી આવતાં પોલીસે લાશનું પંચનામું કરી પીએમ માટે ખસેડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના ની મળતી માહિતી મુજબ હારીજ પાટણ માગૅ પર કુરેજા નમૅદા કેનાલમાં ગુરૂવારે ધોકાવાડા ગામના 31 વર્ષીય ભરત આહિર નામના યુવાને અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું જે
ઘટનાની જાણ હારીજ મામલતદાર અને પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોચી 31 વર્ષીય યુવાન ભરત આહીર ની શોધ ખોળ માટે ફાયર વિભાગ ના કમૅચારી ઓને કામે લગાડવામાં આવ્યા હતા
.

અને કેનાલમાં છલાંગ લગાવનાર યુવાનના પરિવાર જનો ને જાણ થતાં તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા જોકે કેનાલમાં છલાંગ લગાવનાર યુવક ની કેનાલમાં ગુરૂવારે હાથ ધરવામાં આવેલ પરંતુ શોધખોળ છતાં યુવક ની કોઇ ભાળ મળી ન હતી

ત્યારે શુક્રવારે ફરીથી ફાયર વિભાગ ના કમૅચારી ઓએ શોધખોળ હાથ ધરતા યુવક ની લાશ મળી આવતા પોલીસે લાશ નું પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પોલીસ ની માનવતાદી કામગીરી સરાહનીય બની..

પાટણ પોલીસ ની માનવતાદી કામગીરી સરાહનીય બની.. ~ #369News