fbpx

જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પધારવા પાટણ ના પ્રબુદ્ધ નગરજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું..

Date:

પાટણ તા. 3
પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રાને સાંગોપાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા રથયાત્રા સમિતિ ના સેવાભાવી કાયૅકરો અને જગન્નાથ ભકતોને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

આ શોભાયાત્રા મા પાટણના નગરજનો પણ ઉપસ્થિત રહી સહભાગી બને તેવા શુભ ઉદેશથી બુધવારે ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રા ની નિમંત્રણ પત્રિકાઓ શહેરના પ્રબુધ્ધ નગરજનો સહિત વહિવટી અધિકારીઓ,રાજકીય,સામાજિક આગેવાનો, દાતા પરિવારોને અપૅણ કરી તેઓને રથયાત્રા મા પધારવા જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત રથયાત્રા સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ જોશીએ પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તેમજ પાલિકા ના ચિફ ઓફિસર નીતિન
ભાઈ બોડાત સહિત પાટણ નગરપાલિકાના તમામ કોર્પોરેટરોને નિમંત્રણ પાઠવી ભગવાન જગન્નાજીની 142 મી રથયાત્રાના દર્શનાર્થે પધારવા જણાવતાં પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર સહિત ના કોર્પોરેટરો એ જગન્નાથ મંદિર ટ્રસ્ટના આમંત્રણ ને સહર્ષ સ્વીકારી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે સ્વગૅસ્થ મણીરાજ બારોટ ની યાદ માં સ્મરાણાજલિ કાર્યક્રમ યોજાયો..

કાર્યક્રમમાં રાજલ બારોટ સહિતના કલાકારો એ સ્વ.મણીરાજ બારોટના કંઠે...

પાટણ માં રોટલીયા હનુમાન મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિતે કીર્તિદાન ગઢવી નો ભવ્ય લોક ડાયોરો યોજાયો..

પાટણ માં રોટલીયા હનુમાન મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિતે કીર્તિદાન ગઢવી નો ભવ્ય લોક ડાયોરો યોજાયો.. ~ #369News