fbpx

ચાંદીપુરા વાયરસની સંક્રમણને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા શહેરના તમામ વોડૅ વિસ્તારમાં ચૂનાનો છંટકાવ કરાશે..

Date:

પાટણ તા. ૨૫
ચાંદી પુરા વાયરસ ની સંક્રમણને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા સ્વચ્છતા શાખનાં ચેરમેન હરેશભાઈ મોદી તથા એસ.આઈ. અને વોર્ડ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમા પાટણ શહેરમા ચાદીપુરા વાયરસને પગલે ખાસ ચર્ચા કરાઇ હતી.

ચાંદીપુરાનો વાયરસ ચુનાના પાવડરથી કાબુમા આવતો હોવાથી હાલમા નગરપાલિકામાં સ્ટોર કરાયેલી ચૂનાની 1200 થેલી કે જેનું હજી લેબ ટેસ્ટીંગ થયું ન હોવાથી તેને ઉપયોગમા લેવાતી નથી.

પરંતુ આ થેલીઓ પૈકી 200 થેલી પાવડરનો ઉપયોગ અત્યારે ચાદીપુરા રોગની અટકાયત માટે વાપરવાનો સવૉનુમતે નિણૅય કરી આ 200 થેલી માથી દરેક વોર્ડમા 20-20 થેલીનું વિતરણ કરી શહેરના તમામ વોડૅ વિસ્તારમાં તેનો છંટકાવ કરવા સુચના આપવામાં આવી હોવાનું સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું.

સાથે સાથે આ બેઠકમાં પાલિકા પ્રમુખ દ્વારા શહેર
નાં વહિવટને ગતિશિલ બનાવવા શહેરનાં તમામ પ્રશ્નોનાં નિકાલ માટે કડક સૂચનાઓ આપી હતી. શહેરના રસ્તાઓનાં ખાડા પૂરવા, ગટરો ઉભરાવાની સમસ્યાઓ તથા ગંદા પાણીના નિકાલ સહિતના પ્રશ્નોનો નિકાલ લાવવા તેઓએ સ્પષ્ટ પણે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા કોલેજ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૬આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્મા ખાતે સાંસ્કૃતિક...

જિલ્લા કક્ષાના રમતોત્સવમાં કાંસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી.

પાટણ તા. 16 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે...