એસો.ઓફ.સોશ્યલ વકૅ અને રૂરલ સ્ટડી ASAR દ્રારા આવેદનપત્ર અપાયું..
પાટણ તા. ૨૫
એસોસિયેશન ઓફ સોશ્યલ વકૅ અને રૂરલ સ્ટડી ASAR દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરૂવારે MSW ના ડિગ્રી ધારકો ને થતાં અન્યાય બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેકટર કચેરી ખાતે અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાજેતર માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસર ક્લાસ 3 ની 60 જગ્યાઓ માટે ની જાહેરાતમાં MSW લાયકાત ને બાકાત રાખી BSW , Sociology અથવા Psychology special subject ના બેચલર ડિગ્રી ની લાયકાત ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
જેમાં અનુસ્નાતક કક્ષાના કોર્ષ MSW (Master of social work) ને અન્યાય થતો હોય જે બાબતે તાત્કાલિક ધોરણે ધટતુ કરવાની માગ સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર મા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કલેકટર કચેરી ખાતે આયોજિત આવેદનપત્ર ના આ કાર્યક્રમમાં એમ.એન.ઝાલા મંત્રી , એસોસિયેશન ઓફ સોશ્યલ વર્ક એન્ડ રૂરલ સ્ટડી , લેકચરર હિતેશ બોનવાડીયા, વિજયસિંહ ઝાલા, અંકિત પંચાલ, મહેશ્વરીબેન ગોસ્વામી, જીજ્ઞેશજાદવ, નિકુલ મકવાણા, કે.એ. શ્રીમાળી સહિતના પ્રતિનિધિ મંડળ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી