fbpx

હેમ ઉ.ગુજ.યુનિ.ના. રસાયણ શાસ્ત્ર ભવન ખાતે કારગીલ વિજય દિવસે શહિદોને શ્રધ્ધાંજલી સમપિર્ત કરાઈ…

Date:

પાટણ તા. ૨૬
હેમ.ઉ.ગુજ.યુનિ,પાટણ ના રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે શુક્રવારે કારગીલ વિજય દિવસ નિમિત્તે શહિદોને શ્રધ્ધાંજલી સમપિર્ત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તા.૨૬ મી.જુલાઈએ કારગિલ યુદ્ધ દરમિયાન આપણા દેશના જવાનોના અમૂલ્ય બલિદાન વિશે વિધાર્થીઓને માહિતગાર કરી શહિદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી આ કાર્યક્રમમાં કારગીલ યુધ્ધ ની વિડીયો કલીપ પણ બતાવવામાં આવી હતી અને દેશ પ્રત્યેની આપણી ફરજો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.

યુવા વિદ્યાર્થીઓ શહીદોના જીવન પરથી પ્રેરણા લઈ દેશભક્ત બને તે માટે શપથ વિધી કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિપાર્ટમેન્ટ ના હેડ પ્રો.ડૉ.સંગીતાબેન શર્મા, પ્રોફેસર ડૉ. કોકીલાબેન પરમાર, ડૉ .એચ. ડી. સી અને તમામ સ્ટાફ મેમ્બર તેમજ વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરાઈ

ચાણસ્મા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરાઈ ~ #369News

પાટણથી સાબુનો જથ્થો ભરીને ડીસા તરફ જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક પલટી મારી ગયો..

પાટણથી સાબુનો જથ્થો ભરીને ડીસા તરફ જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક પલટી મારી ગયો.. ~ #369News