જન્માષ્ટમીના પર્વને યાદગાર બનાવવા મંદિર પરિસરોની સફાઈ કામગીરી હાથ ધરાઈ..
પાટણ તા. ૨૫
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ ના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા સૌપ્રથમવાર શ્રી પદ્મનાભ ભગવાન વાડી પરિસર ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે જન્માષ્ટમી ના પર્વ
ની ઉજવણીના ઉપલક્ષમાં શીતળા સાતમ અને રવિવારના રોજ પાટણ પ્રજાપતિ સમાજ પાટણના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસરની સાથે સાથે રાધાકૃષ્ણ મંદિર ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંદિર પરિસરની સ્વચ્છતા બાદ મંદિર પરિસરમાં શણગાર સજાવવામાં આવ્યો હતો.
આવતીકાલે જન્માષ્ટમીના પાવન પર્વની શ્રી પદ્મનાથ ભગવાન સન્મુખ પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે મટકી ફોડ નો કાર્યક્રમ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવશે. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં સૌ પ્રથમવાર આયોજિત કરાયેલા જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સમાજના પરિવારજનોને ઉપસ્થિત રહેવા પાટણ પ્રજાપતિ સમાજ પાટણના સેવાભાવિ કાર્યકર્તાઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી