રાહદારીઓ માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા છાણીયાથર, રાધનપુર, ગોચનાદ પાટીયાથી બાબરી, જાખેલ રોડ પર કરવામાં આવી…
પાટણ તા. ૨૭
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામમાં આવેલ રથી જાખેલ રોડના ડીપમાં પાણીનો પ્રવાહ વધારે પસાર થતા રાહદારીઓ માટે આ રોડ બંધ કરવામાં આવેલ છે. આ રસ્તો ૩૦ ઓગસ્ટ સુધી ચાલુ થવાની શક્યતા છે.
રાહદારીઓને અવરજવર માટે વૈકલ્પિક રોડની વ્યવસ્થા છાણીયાથર, રાધનપુર, ગોચનાદ પાટીયાથી બાબરી, જાખેલ રોડ પર કરવામાં આવેલ છે જેની નોંધ લેવા જિલ્લા વહીવટી તંત્ર એ અપીલ કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી