મંદિર પરિસર ખાતે વિશાળ નાગદેવતા એ શિવ ભકતો ને દશૅન આપતા ધન્ય બન્યા..
પાટણ તા. ૨
શ્રાવણ માસની સોમવતી અમાસ અને પવિત્ર સોમવારના દિવસે શહેરના પારેવા સકૅલ નજીક ના કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે શહેરની સેવાભાવી સંસ્થા આશરો ગૃપના સ્થાપક અને તાજેતરમાં જ રાજય સરકારની ૧૦૮ દ્વારા સેવા પ્રવૃત્તિ બદલ સન્માનિત કરવામાં આવેલ રોહિતભાઇ પટેલ ના વરદ હસ્તે ભગવાન શિવની પૂજા અચૅના કરાવ્યા બાદ મંદિરના પુજારી પૂર્ણ કર્યા બાદ કોટેશ્વર મહાદેવ મંડળ ના હર્ષદભાઈ રાવલ, દીનાબેન મોદી,જયભાઈ સહિતના સભ્યો દ્વારા શાલ અને બુકે થી સન્માનિત કરી આશરો ગૃપની નિસ્વાર્થ સેવાઓને બિરદાવી હતી.
તો સન્માન ના પ્રત્યુતરમાં રોહિતભાઇ પટેલ દ્વારા શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરમાં આખો શ્રાવણ માસ ભગવાન શિવજી ની પુજા અચૅના કરનાર તમામ શિવ ભકતો નું ભગવો ખેસ પહેરાવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત આ ધામિર્ક કાયૅક્રમ દરમ્યાન ભગવાન શિવ ના ગળાની શોભા બનેલાં વિશાળ નાગદેવતા એ મંદિર પરિસરમાં દશૅન આપતા ઉપસ્થિત સૌ ભકતોએ તેના દશૅન કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી