fbpx

પાટણ-ઉંઝા ત્રણ રસ્તા નજીક નંબર પ્લેટ વીના ના વાહન ચાલકે ભૂદેવ દંપતિને અડફેટે લેતાં કરૂણ મોત નિપજયા..

Date:

અકસ્માત નાં પગલે 108 અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો..

મૃતક ભૂદેવ દંપતિના પરિવારજનો માં શોકની કાલિમા છવાઈ..

પાટણ તા.9
પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક સિધ્ધપુર તરફ જવાના હાઈવે માર્ગ પર રવીવાર ની રાત્રે કોઈ અજાણ્યા નંબર પ્લેટ વીનાના વાહન ચાલકે ઉતાવળે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી માગૅ પરથી પસાર થઈ રહેલ બ્રહ્મ સમાજના દંપતી ને હડફેટમાં લઈ ધટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજાવી પોતાનું વાહન ઈલેક્ટ્રીક સિમેન્ટ પોલ સાથે અથડાવી ધટના સ્થળે વાહન મુકી ચાલક ફરાર થઈ ગયો હતો.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપુર તરફના હાઈવે માર્ગ પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહેલા નંબર પ્લેટ વીના ના અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હાઈવે પર ની શાંતિનાથ સોસાયટી માંથી બહાર નિકળી રહેલાં બાલીસણા નાં વતની અશ્વિનભાઈ જગન્નાથભાઈ જોષી ઉ.55 અને તેમના ધર્મ પત્ની મીનાબેન અશ્વિનભાઈ જોષી ઉ.56 નાને હડફેટમાં લેતા ગંભીર ઇજાઓના કારણે ધટના સ્થળે જ દંપતી નું પ્રાણપંખેરૂ ઉડી જવા પામ્યું હતું. બનાવ સજૅનાર વાહન ચાલકે પોતાનુ વાહન આગળ માગૅ પરના ઈલેક્ટ્રીક સિમેન્ટ નાં પોલ સાથે અથડાવી પોતાનું વાહન સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો હતો.

રાત્રે બનેલાં અકસ્માત ની જાણ પાટણ 108 સહિત પોલીસ તંત્ર ને થતા તેઓ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવ્યા હતા.અને મૃતકના પરિવારજનોએ જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પોલીસે આ અકસ્માત મામલે મૃતકના જમાઈ અને શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા બંસી કાઠીયાવાડી સામે શિવ ડુપ્લેક્ષ માં રહેતા સતિષભાઈ ઠક્કર ની ફરિયાદ નાં આધારે વાહન ચાલક સામે ગુનો નોંધી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક ભૂદેવ દંપતિ છેલ્લા પંદરેક દિવસ થી પોતાની દીકરીની નાદુરસ્ત તબીયત ને કારણે તેણી નાં શિવ ડુપલેક્ષ ખાતે નાં નિવાસ સ્થાને રહેતાં હતાં અને રવીવાર ની સાંજે સિધ્ધપુર હાઈવે પર આવેલ શાંતિનાથ સોસાયટી રહેતી પોતાની બહેનને મળવા ગયાં હતાં અને જમી ને રાત્રે પરત પોતાની દિકરીને ત્યાં આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત સજૅનાર વાહન ચાલકે પોતાનું વાહન આગળ માગૅ પર નાં ઈલેક્ટ્રીક સિમેન્ટ પોલ સાથે અથડાવી ધટના સ્થળે વાહન મુકી ફરાર થઈ ગયો હતો જેની પોલીસે તપાસ હાથ ધરતા ઉપરોક્ત વાહન સ્વીફ્ટ કાર હોવાનું અને કાર માંથી જી.જે. 24-એ.ઈ.3168 લખેલી નંબર પ્લેટ મળી આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો..

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો.. ~ #369News

ત્રણ દિવસ સતત વરસેલા વરસાદના કારણે પાટણ હારીજ હાઇવે માર્ગ નું ધોવાણ થયું..

વરસાદના કારણે ધોવાણ થયેલા માર્ગને લઈ માર્ગના કામમાં ગેરરીતિ...