fbpx

પાટણ ના શ્રી રોટલીયેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજ અને ઋષિ પંચમીની વિશેષ પૂજા નું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૫
ધર્મની નગરી પાટણ શહેરમાં વિશ્વના એકમાત્ર પ્રથમ એવા રોટલીયા હનુમાન દાદા ના મંદિર પરિસર ખાતે શ્રાવણ માસ દરમિયાન સુચિત સ્થાપિત કરવામાં આવેલા શ્રી રોટલેશ્વ મહાદેવની શિવ ભકતો દ્રારા આખો માસ પૂજા-અર્ચના સાથે સવા લાખથી વધુ બીલીપત્ર અને એક લાખ રોટલી નો અભિષેક કરવામાં આવ્યો હતો.

શ્રી રોટલેશ્વર મહાદેવ ને કરાયેલ રોટલી ના અભિષેક બાદ તે રોટલીઓ ગૌશાળામાં બીમાર ગાયોને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવી હતી. તેમજ શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે રાત્રે ભજન મંડળી સાથે ભજનનો આનંદ લેવા ભાવિ ભક્તો નો મેળાવડો જોવા મળ્યો હતો. અમાસના દિવસે 11 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરેલ જેનો પાટણની ધમૅપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી રોટલીયેશ્વર મહાદેવ
ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ માસ દરમ્યાન શ્રી રોટલીયેશ્વર મહાદેવ ના દશૅનાર્થે પધારેલા હજારો ભાવિ ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તે માટે સિદ્ધહેમ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના સેવકો દ્વારા ખુબ સરસ આયોજન કરેલ હતું.

શ્રી રોટલીયેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી કેવડા ત્રીજ ની પૂજા બપોરે 12:00 વાગે તથા ઋષિપંચમીની પૂજા કરાવવામાં આવશે તો દરેક ભક્તો એ આ પુજામા પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો જે ભાવીક ભક્તોને પૂજા કરવાનો લાભ લેવો હોય તેમને શાસ્ત્રી પિયુષ ભાઈ વ્યાસના મો.નં ૯૯૧૩૯૩૧૮૩૫ પર અગાઉ થી સંપકૅ કરી નામ નોંધાવવા જણાવાયું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ભવાની મસાલા નજીક ની આંગણવાડી ની ભૂગર્ભ લાઈન ચોક અપ બનતાં નકૉગાર ની સ્થિતિ નિમૉણ પામી..

આંગણવાડી ના ભૂલકાઓ સહિત વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળે...

પાટણ નગરદેવી કાલિકા માતાજીના મંદિર પરિસર ખાતે ભવ્ય અન્નકૂટ ભરાયો…

પાટણ તા. ૨૨પાટણ નગરદેવી કાલિકા માતાજી ના પ્રાચીન મંદિર...

પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ખેરાલુ ના ભરત ડાભી ને રિપીટ કરાયા…

શિક્ષણ,આરોગ્ય અને રેલ્વે સહિત પાટણ લોકસભા વિસ્તાર ની સમસ્યાનું...

પાટણ રાણકીવાવ ખાતે યુવાનો ના સંવાદ કાર્યક્રમમાં વકતા દશૅક ત્રિવેદી દ્રારા યુવાનોને માગૅદશૅન આપ્યું..

પાટણ રાણકીવાવ ખાતે યુવાનો ના સંવાદ કાર્યક્રમમાં વકતા દશૅક ત્રિવેદી દ્રારા યુવાનોને માગૅદશૅન આપ્યું.. ~ #369News