fbpx

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમુહ લગ્નમાં 29 નવદંપતી જોડાયા.

Date:

પૂ. દોલતરામ બાપુ સહિતના સંતોએ નવદંપતિઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા.

પાટણ તા. 27
શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના રવિવારે તૃતીય સમુહલગ્ન ગોજારીયા મુકામે યોજાયા હતા જેમાં 29 નવદંપતિઓએ સમાજના રિત રિવાજ મુજબ લગ્ન ગ્રંથી થી જોડાયા હતા.

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત આ તૃતીય સમૂહલગ્ન પ્રસંગે નોરતા નરભેરામ અન્નક્ષેત્ર આશ્રમના સંત શિરોમણી દોલતરામ મહારાજ, જુનાગઢ આશ્રમના સંત પૂ.વિશ્વ ભારતી મહારાજ અને ખોરોજ આશ્રમના સંત રમાબાએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને રૂડા આશીર્વાદ પાઠવી નવજીવનની શુભેચ્છા વ્યક્ત કરી હતી તો સમાજના દાતાઓનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજયસભા ના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા સહિત ના રાજકીય આગેવાનો એ ઉપસ્થિત રહી સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્ન ની સરાહના કરી હતી. શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના તૃતીય સમુહલગ્ન ને સફળ બનાવવા સમિતિના પ્રમુખ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ટીબી ત્રણ રસ્તા થી સિદ્ધપુર ચાર રસ્તા માગૅ પર બે ડમ્પર ચાલકોએ ત્રણ વાહનને ટક્કર મારી…

વાહન સવાર ડ્રાઇવર સહિત મુસાફરોને નજીવી ઇજાઓ પહોંચી… પાટણ તા....

અજીમણાના કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ પર ઉજ્જૈન ના મોઢા આકારના શિવ ઉભરી આવતાં લોકો દશૅન માટે ઉમટ્યા..

અજીમણાના કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ પર ઉજ્જૈન ના મોઢા આકારના શિવ ઉભરી આવતાં લોકો દશૅન માટે ઉમટ્યા.. ~ #369News

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.. ~ #369News

પાટણ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન સાથે બાળકોમાં ખાંસી, શરદી, તાવ સહિત કુતરા કરડવાના કેસોમાં નોધપાત્ર વધારો..

વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી.. હજયાત્રાએ...