fbpx

રાજકોટમાં અંધ શ્રદ્ધા ની પરાકાષ્ઠા પાર: પતિ પત્નીએ પોતાના જ મસ્તક હવન કુંડમાં હોમ્યા

Date:

રાજકોટમાં અંધ શ્રદ્ધાની પરાકાષ્ઠા પાર: પતિ પત્નીએ પોતાના જ મસ્તક હવન કુંડમાં હોમ્યા

આજે પણ ઘણી જગ્યાઓ પર અંધ શ્રદ્ધાની પરાકાષ્ઠા સામે આવતી હોય છે જેમાં અનેક લોકોને અંધશ્રદ્ધાની આગમાં હોમવા માં આવતા હોય છે ત્યારે રાજકોટમાં હાહાકાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં પતિ પત્ની એ અંધશ્રધ્ધામાં આવી પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ તથા મામલતદારે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાની છે જ્યાં અંધશ્રદ્ધા ની આગમાં ૨ જીવને હોમવા માં આવ્યા હતા. વિછીયા ગામે મોઢુકા રોડ પર પોતાની વાડીમાં રહેતા હેમુભાઈ મકવાણા અને તેમની પત્ની હંસાબેન મકવાણા એ પોતા ની વાડીમાં ઝુંપડી બનાવી વિધિ શીખતા હતા.

પોતાના માસુમ પુત્ર અને પુત્રીને વીંછીયા તેમના મામાને ઘરે મૂકી આવ્યા બાદ બંને પતિ પત્ની વાડીમાં બનાવેલ ઝૂંપડીમાં જઈ દંપતીએ જાતે બનાવેલા હવન કુંડમાં બલિ ચડાવી જિંદગીનો અંત આણ્યો હતો. દંપતી એ હવન કુંડમાં બલિ ચડાવવાનું અગાઉથી પ્લાનિંગ કર્યું હતું. બન્ને દ્વાર હવાન કુંડ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં પતિ-પત્ની હવન કુંડની બાજુમાં સુઈ ગયા હતા. કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપ ના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યારબાદ તેને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાં ની ઉંચાઈ થી પટક્યું હતું. જેમાં પતિ અને પત્ની ના મસ્તક કપાઈ ગયા હતા.

જેમાં પત્નીનું મસ્તક હવન કુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવન કુંડથી દૂર પડ્યું હતું. લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હેમુભાઈ મકવાણા અને તેમની પત્ની હંસા બેન મકવાણા તાંત્રિક વિધિ અને અંધ શ્રદ્ધા માં આવીને હોમ હવન કરતા હતા ત્યારે અંધ શ્રદ્ધાની આગમાં જ બન્નેએ મસ્તક ની બલી ચડાવી દીધી હતી. પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી છે. બંને સુસાઈડ નોટને લોકો જોઈ શકે એ માટે ચીપકાવવામાં આવી હતી. સાથે રૂ. 50નો સ્ટેમ્પ પેપર પણ મળ્યો હતો. તેમના પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.વીછીયા પોલીસ તેમજ મામલત દાર અને રાજકોટ SOGના વિજયભાઈ વેગડ તેમની ટીમ સાથે પહોંચી ગયા હતા તાત્કાલિક બંને મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

એન્કાઉન્ટર: અતીક એહમદ ના પુત્ર અસદ નું યુપી પોલીસ દ્વારા સફાયો

ઝાંસીઃ મોટા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે...

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ..

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ.. ~ #369News

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા..

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા.. ~ #369News