fbpx

રાધનપુર હાઇવે પર આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં લગ્નની ખરીદી કરવા આવેલા વરરાજા ની હત્યા થતા ચકચાર મચી..

Date:

સમી તાલુકાના અમરાપુર ગામના નિરાશ્રીત ઠાકોર યુવાન ની હત્યા ના પગલે લગ્ન ની ખુશી માતમ છવાયો..

બનાવના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરી…

પાટણ તા. 6
રાધનપુર હાઇવે પર આવેલા ઈસ્કોન શોપિંગ સેન્ટરમાં શનિવારે લગ્ન ની ખરીદી કરવા ગયેલા નિરાશ્રિત ઠાકોર સમાજના વરરાજા ને ધોળા દિવસે જ તેમના જ સમાજના કેટલાક લોકો એ અગમ્ય કારણોસર મોતને ધાટ ઉતારી દેવાની ઘટના સજૉતા સનસનાટી મચી જવા પામી હતી. તો બનાવને પગલે કોઈ અનિચ્છનીય ધટના ન ધટે તે માટે રાધનપુર પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશ નું પંચનામું કરી પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ સમી તાલુકાના અમરાપુર ગામે રહેતા નિરાશ્રિત ઠાકોર વિપુલ અમરસિંહ ભાઈ ઉ. વ.19 કે જેવોના રવિવારના રોજ લગ્ન હોય શનિવારે તેઓ રાધનપુર ખાતે હાઈવે પર આવેલ ઇસ્કોન શોપિંગ મોલમાં લગ્નની ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે તેમના સમાજના કેટલાક લોકોએ કોઈ કારણોસર તેની સાથે માથાકૂટ કરી ધોળા દિવસે જ જાહેરમાં તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા ઇસ્કોન શોપિંગ મોલમાં સર્જાયેલી ઘટનાના પગલે લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી.

અને આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી લાશનું પંચનામું કરી પી એમ માટે ખસેડી હત્યા કરી ફરાર થયેલા નિરાશ્રીત ઠાકોર સમાજના કેટલાક લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સમી તાલુકા ના અમરાપુર ગામના નિરાશ્રીત ઠાકોર સમાજના યુવાન વિપુલની હત્યાના પગલે લગ્ન ની ખુશી માતમમાં ફેરવાતા પરિવારમાં શોક ની કાલી મા છવાઈ જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

અકસ્માતમાં મૃત્યુ પામેલા બોરતવાડા ના યુવાનની બોડી ના મહત્વના અંગો નું પરિવારજનો દ્વારા અંગદાન કરાયું…

અકસ્માતમાં મૃત્યુ પામેલા બોરતવાડા ના યુવાનની બોડી ના મહત્વના અંગો નું પરિવારજનો દ્વારા અંગદાન કરાયું… ~ #369News

શું અમદાવાદ માં રમાઈ રહેલી આજે ધોની ની આ અંતિમ અને યાદગાર મેચ હશે કે પછી મોસમ માહોલ બગાડશે

શું અમદાવાદ માં રમાઈ રહેલી આજે ધોની ની આ અંતિમ અને યાદગાર મેચ હશે કે પછી મોસમ માહોલ બગાડશે ~ #369News

ગાંધીનગર: કલોલમાં આજે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત,5 ના મોત, 7 ને ગંભીર ઇજા

ગાંધીનગર: કલોલમાં આજે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત,5 ના મોત, 7 ને ગંભીર ઇજા ~ #369News

ગુજરાતના 16 ઉમેદવારોએ પાસ કરી યુપીએસસી, સુરતના યુવકનો 9મો રેન્ક

ગુજરાતના 16 ઉમેદવારોએ પાસ કરી યુપીએસસી, સુરતના યુવકનો 9મો રેન્ક ~ #369News