આ ધામિર્ક પ્રસંગે મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ સહિત ના ભકતો ઉપસ્થિત રહ્યા..
મંદિર પરિસરને દિપક ની રોશનીથી ઝગમગતુ બનાવવામાં આવ્યું..
પાટણ તા. 4
પાટણ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સૌ પ્રથમવાર શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે રવિવારને પૂનમ ના પવિત્ર દિવસે મહા આરતી અને મહાપ્રસાદનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.પાટણ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા વહેલી સવારે શ્રી પદ્મનાભ મંદિરપરિસરની સફાઈ અભિયાન કામગીરી કરવામાં આવી હતી. જ્યારે સાંજે શ્રી પદ્મનાભજી ના મંદિર પરિસરને દીપક ની રોશનીથી જગમગતું બનાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ ભગવાન શ્રી પદમનાભજી સન્મુખ 108 દીવાની મહા આરતી ઉતારી ઉપસ્થિત તમામ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મહાપ્રસાદનાયજમાન પદે સ્વ. સવિતાબેનદેવચંદભાઈ પ્રજાપતિ હસ્તે.રાજુભાઈ પ્રજાપતિ પરિવાર, સ્વામી હરેશભાઈ તુલસીદાસ,પ્રજાપતિ ચેતનભાઈ, પ્રજાપતિ અમિતભાઈ ધનાભાઈ પરિવારે લ્હાવો લીધો હતો.પાટણ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠન દ્વારા સૌ પ્રથમવાર પૂનમના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભજી ભગવાન ના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલ ધામિર્ક પ્રસંગમાં મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સહિત ના ધર્મ પ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે યુવા શકિત સંગઠનના સેવાભાવી યુવાનો, પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવારના ટ્રસ્ટીઓ, પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આગેવાનો, પદ્મનાભ વિકાસ સમિતિ તેમજ મુકિતધામ કમિટીના સભ્યો સહિતનાઓએ જહેમત ઉઠાવી પ્રસંગ ને દિપાવ્યો હતો.