fbpx

પાટણના વડીલની ઈચ્છા અનુસાર તેઓના મૃત્યબાદ પરિવારજનો દ્વારા દેહદાનનો સંકલ્પ પરિપૂર્ણ કરાયો..

Date:

પાટણ જાયન્ટ્સ ગ્રુપ અને મૃતકના પરિવારજનોની ઉપસ્થિતિમાં ધારપુર હોસ્પિટલને વડિલનો દેહ અર્પણ કરાયો…

પાટણ તા. 6
પાટણ શહેરના મલ્હાર બંગલોઝમાં રહેતા પટેલ પરિવારના વડીલ ની અંતિમ ઈચ્છા અનુસાર તેઓના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા તેઓનો મૃત્યુ દેહ ધારપુર મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યો હતો. આ બાબતે મળતી હકીકત મુજબ વિરતા ગામના વતની અને હાલમાં પાટણ શહેરના મલ્હાર બંગ્લોઝમાં રહેતા ડાહ્યાભાઈ મણી લાલ પટેલનું મંગળવારે વહેલી સવારે ટુકી માંદગી બાદ અવસાન થતાં તેઓની અંતિમ ઈચ્છા અનુસાર તેમના સુપુત્ર મહેન્દ્રભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ સહિત પરિવારજનો દ્વારા પાટણ જાયન્ટ્સ ગ્રુપના પૂર્વ પ્રમુખ નટુભાઈ દરજી, ઇશ્વરભાઇ પટેલ સહિત ના સભ્યોને સાથે રાખી પાટણ ની ધારપુર સ્થિત હોસ્પિટલ ખાતે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પોતાના સ્વર્ગસ્થ પિતા ડાહ્યાભાઈ ની અંતિમ ઈચ્છા મુજબ તેઓનું દેહદાન અર્પણ કરવામાં આવ્યું હતું.

સ્વર્ગસ્થ ડાહ્યાભાઈ પટેલ ના અવસાન બાદ તેઓની અંતિમ ઈચ્છા મુજબ તેઓનો મૃતદેહ ધારપુર મેડીકલ કોલેજમાં સુપ્રત કરાતા મેડિકલ કોલેજ દ્રારા દેહદાન સ્વીકાર કયૉ નું પ્રમાણપત્ર સ્વર્ગસ્થના પરિવારજનોને સુપ્રત કરીસ્વ. ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજનો દ્રારા દેહદાન અપૅણ કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન શાળા ખાતે ભક્તિમય માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ..

બાળકોએ કૃષ્ણ અને ગોવાળિયાના વેશ પરિધારણ કર્યા તો બાલિકાઓએ...

હારીજ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ટ્રાઇ સિકલ નું વિતરણ કરાયું..

હારીજ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ટ્રાઇ સિકલ નું વિતરણ કરાયું.. ~ #369News