રાધનપુર ના જાવંત્રી ગામે ગરીબ પરિવારો ના મકાન ના પતરા ઉડતા ભારે નુકશાન ભોગવ વાનો વારો આવ્યો..
જિલ્લા તંત્ર દ્વારા નુકસાની નો સર્વે કરી પરિવારોને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ગરીબ પરિવારો દ્વારા આશા વ્યક્ત કરાઈ.
પાટણ તા. 11
હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારના રોજ પાટણ જિલ્લા માં વાવા જોડા ની અસર જોવા મળી હતી. પાટણ જિલ્લા ના રાઘનપુર તાલુકા ના કેટલાક ગામોમાં રવિવારે અચાનક આવેલા વાતા વરણ બદલાવ ના કારણે સુસ્વાટા બંધ પવન સાથે ઘૂળ ની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું.
તો ભારેખમ પવનના કારણે રાઘનપુર ના જાવત્રી ગામે પતરા વાળા મકાનના પતરા ઉડતા લોકોમાં અફરા-તફરી મચી જવા પામી હતી. તો ગરીબ પરિવારો ના મકાન ના પતરા ઉડવાની સાથે પતરાઓનો સોથ બોલી જતાં ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ત્યારે જિલ્લા તંત્ર આ નુકસાનીનું સર્વે કરી ગરીબ પરિવારને સહાય પેટે વળતર ચૂકવવા માં આવે તેવી આશા નિરાધાર બનેલા ગરીબ પરિવારોએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી