જરૂરિયાતમંદ વિધાર્થીઓ ને સ્કૂલ બેગની ભેટ મળતા ખુશી સાથે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો.
પાટણ તા.20 જૈનોની પવિત્ર નગરી સમાન શંખેશ્વર તિથૅ ખાતે અનેક સેવાકિય પ્રવૃત્તિ સાથે સમાજ ઉત્થાન ના કાયૅ કરી જરૂરિયાત મંદોને તન, મન અને ધનથી સહિયોગી બની રહેલ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ સરાહનીય બની રહી છે ત્યારે શંખેશ્વર તાલુકાની રણકાંઠા વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં જ્યાં બાળકોને ખરેખર જરૂરિયાત છે તેવા બાળકોને જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાં નેજા હેઠળ સ્કૂલબેગો નું બુધવારે વિતરણ કરવામાં આવ્યું હતું.
જરૂરિયાત મંદ બાળકોને સ્કૂલ બેગ ની ભેટ મળતા ખુશી વ્યક્ત કરી પોતાના માસુમ દિલથી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
જરૂરિયાતમંદ વિધાર્થીઓ ને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ ના સહિયોગી દાતા પરિવાર માથી શ્રી શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ( સુરત ) કિશોરભાઈ હસ્તેમનીષભાઈ બ્લેશગૃપ (હ્યુસ્ટન) મનીષાબેન (આદીજીન યુવક ચેરીટેબલટ્રસ્ટ) સમવિત વિરેનભાઈ શાહ હસ્તે.ભરતભાઈભાઈ જૈન(બોમ્બે)પ્રિયલ પુનીતકુમાર શાહ હસ્તે. મહેન્દ્રભાઈ સહિયોગી બન્યા હોવાનું જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જિજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું.