fbpx

હર ધર તિરંગા નહી પરંતુ પાટણ ના મહિલા એડવોકેટે તો પોતાના ઘર ને જ ત્રિરંગો બનાવ્યો..

Date:

પાટણ તા. 13 આજે ઐતિહાસિક નગરી પાટણના પ્રતિષ્ઠિત મહારાષ્ટ્રીયન સમાજના આદરણીય પરિવારનું ઐતિહાસિક વારસા જેવું ઘર સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઘરમાં રહેતા મોટાભાગના સભ્યો નોકરી અને રોજગાર અર્થે બરોડા, મુંબઈ અને પુણે જેવા સાંસ્કૃતિક શહેરો માંથી આવીને સ્થાયી થયા છે, ત્યારે એકમાત્ર વરિષ્ઠ મહિલા એડવોકેટ કે જેમણે હર ઘર તિરંગા નહી પરંતુ પોતાના ઘર ને જ ત્રિરંગો થી સજાવ્યું છે. આ ઐતિહાસીક ધરોહર સમાન ઘરમા રહેતા મહિલા કે જેઓ વ્યવસાયે વકીલાત નું કામ કરે છે પણ સાથે સાથે તેઓ સંસ્કૃતિ અને સમાજને સમર્પિત સામાજિક કાર્યકર પણ છે. પાટણ શહેરમાં સંધ્યાબેન પ્રધાન નામથી જાણીતા ધારાશાસ્ત્રી છે. આજે આઝાદીના અમૃત કાળને ઉજવવા તેમણે પોતાના સો વર્ષ જુના મકાનને જેવું હતું તેવું જ ઐતિહાસિક વારસા સમાન માળખામાં પુનઃનિર્માણ કર્યું અને ઘરને તિરંગાના રંગોથી સુશોભિત કરી, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સાચી વફાદારી અને દેશભક્તિનો સંદેશ આખા દેશને આપ્યો છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ આટૅસ કોલેજ ખાતે સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 5 આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ અને સહયોગી સંસ્થા...

રાધનપુર ના ધરવડી-લક્ષ્મીપુરા ના વૈરાન બનેલ વડ તળાવ ની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં આનંદ ની લાગણી છવાઈ.

રાધનપુર ના ધરવડી-લક્ષ્મીપુરાના વૈરાન બનેલ વડ તળાવ ની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં આનંદ ની લાગણી છવાઈ. ~ #369News

લણવા ની ત્રિભુવન વિદ્યાલય ખાતે રમતોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

એપોલો ગ્રુપના અજીતભાઈ પટેલ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી...