fbpx

શંખેશ્વર મા પડવાનાં વાકે ઉભેલ ઉપાશ્રય કોઈ જાનહાની સર્જે તે પૂર્વે દુરસ્ત કરવા લોક માંગ ઉઠી..

Date:

પાટણ તા. 18 પાટણ જિલ્લામાં આવેલા પ્રસિધ્ધ જૈન તિથૅ સમા શંખેશ્વર નગર ના નગરજનો અનેક પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. ત્યારે જૈન યાત્રા ધામ ખાતે આવેલ જીવણદાસ ખોડીદાસની માલીકી નો પ.પૂ.સાધુ ,સાધ્વીજીઓ અને મ.સા.ના ઉતારા માટે વર્ષો પૂર્વે બનાવેલ ઉપાશ્રય હાલમાં જજૅરિત બની પડવાના વાકે ઉભો છે. આ બાબતે તંત્રને જાણ કરાતાં આ ઉપાશ્રય જજૅરિત હોવાનું બોડૅ મારી તંત્રએ સંતોષ વ્યકત કર્યો છે પરંતુ આ ઉપાશ્રય ને ઉતારવા માટે ઉપાશ્રય ના સંચાલકોને કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા નોટિસ કે સુચના આપવામાં ન આવતાં આ ઉપાશ્રય માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓ સહિત વિસ્તારમાં રહેતા રહિશો ભય ના ઓથાર હેઠળ પસાર થવા મજબુર બન્યાં છે.ત્યારે તંત્ર દ્વારા ઉપરોક્ત જજૅરિત બનેલ ઉપાશ્રય કોઈ જાનહાની સર્જે તે પૂર્વે તેને દુરસ્ત કરવા યોગ્ય કાયૅવાહી હાથ ધરે તેવી લોક માગ પ્રબળ બની છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નાં નવા ડિસ્ટ્રીકટ જજ ને આવકારતાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

પાટણ નાં નવા ડિસ્ટ્રીકટ જજ ને આવકારતાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ~ #369News

પાટણના ખલીપુર નજીક રેલવેની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું…

પાટણના ખલીપુર નજીક રેલવેની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું… ~ #369News

પાટણ કોટૅની પાછળ આવેલ શ્રમજીવી ના ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં…

પાટણ તા. ૧૬પાટણ કોર્ટની પાછળ આવેલ શ્રમજીવી વિસ્તારના ખુલ્લા...