fbpx

પાટણ એપીએમસી ના ડિરેકટરો ની યોજાનાર ચૂંટણી માટે ભાજપના 16 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભયૉ..

Date:

ફોમૅ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ન ભરતા ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ બનશે…

પાટણ તા. 24 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) પાટણની તાજેતરમાં યોજાનાર ડીરેક્ટરોની ચૂંટણી માટે ખેડૂત વિભાગ,વેપારી વિભાગ અને ઇતર વિભાગમાં (ખરીદ વેચાણ સંઘ) ભારતીય જનતા પાર્ટીની પેનલના 16 ઉમેદવારોએ ગુરૂવારે 12.39 ના વિજય મુહૂર્ત મા ફોર્મ ભરી જિલ્લા રજીસ્ટારને પોતાના ઉમેદવારી પત્ર સુપ્રત કર્યા હતા. જેમાં વેપારી વિભાગ માંથી ચાર ખેડૂત વિભાગ માંથી 10 અને ઇત્તર વિભાગમાં 2 મળી કુલ 16 ઉમેદવારોએ પોતાનાં ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.

ભાજપ ના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરે તે પૂર્વે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ ની આગેવાની હેઠળ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થી તમામ 16 ઉમેદવારો સાથે ભાજપના આગેવાનો, કાયૅકરોની વિશાળ સંખ્યામાં માકેટ યાડૅ ખાતે આવી પહોંચ્યો હતાં.અને અહીં પ્રસ્થાપિત કરાયેલ લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને ફુલહાર કરી તેઓને વંદન કર્યા હતા. અને ત્યારબાદ ક્રમશઃ 16 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્ર ભરી રજીસ્ટાર ને સુપ્રત કયૉ હતાં જોકે ભાજપના ઉમેદવાર સિવાય ફોમૅ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ઉમેદવારો એ ફોમૅ ન ભરતા ભાજપના જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોરે વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ 16 ઉમેદવારો બિનહરીફ થવાનું જણાવ્યું હતું.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ઈતર વિભાગમાં માટે ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો ની નામોની યાદી..ખેડૂત વિભાગ:-સંજયકુમાર ડાહ્યાભાઈ પટેલ,મોહનભાઈ કરશનદાસ પટેલ, ભરતભાઈ ધનજીભાઈ પટેલ,કિરીટકુમાર વિરચંદભાઈ પટેલ,નરેશભાઈ વિરચંદભાઈ પટેલ ,રમેશભાઈ મફાભાઈ રબારી, રાજેન્દ્રકુમાર જયંતિભાઈ પટેલ, શિવાજી કાનાજી ઠાકોર, વેલાભાઈ રામાભાઈ ચૌધરી,વિઠ્ઠલભાઈ અમથાભાઈ પટેલ. વેપારી વિભાગ:-હરેશકુમાર શંકરલાલ મોદી,જયંતિભાઈ ભુદરદાસ પટેલ, રસિકભાઈ લાલજીભાઈ પટેલ, નવિનકુમાર હીરાલાલ પટેલ. ઈતર વિભાગ :-કાન્તિભાઈ ચતુરભાઈ પટેલ, સ્નેહલકુમાર રેવાભાઈ પટેલ નો સમાવેશ થાય છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10-12 સાયન્સ – કોમર્સનું 100% પરિણામ…

પાટણ તા. ૧૩પાટણ ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. માન્યતા પ્રાપ્ત ઓકસફર્ડ...

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા આદિવાડા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા આદિવાડા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો. ~ #369News

પાટણ પ્રજાપતિ સમાજના શ્રી ચામુંડા પરિવાર દ્વારા ફુલ સ્કેપ ના ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાયો…

સમાજના આગેવાનો અને શિક્ષણ વિદોએ વિદ્યાર્થીઓને ઉચ્ચક કારકિર્દી માટે...

પાટણમાં વૈષ્ણવાચાર્ય પૂ. વાગિશકુમારજી નું ભવ્ય સામૈયું અને શોભાયાત્રા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો..

પાટણનાં વૈષ્ણવ પરિવારો સાથે પ્રબુદ્ધ નગરજનો, પત્રકારો સહિત વિવિધ...