પાટણ તા. 2 પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નો ને સરકાર દ્વારા સંતોષવામાં આવે તેવી માંગ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શનિવારના રોજ પાટણ શહેરના સિંધવાઈ માતાજીના મંદિર પરિસર ખાતે પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રામધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સિંધવાઈ માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત રામધૂનના આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ,મંત્રી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી સરકાર તેઓની પડતર માંગણી સંતોષવા કટીબદ્ધ બને તેવી સદબુદ્ધિ ભગવાન શ્રીરામ સરકારને આપે તેવી ભાવના સાથે રામધૂન નું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી