પાટણ તા. 16 પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શનિવારે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને સેવા પખવાડિયાના આયોજનના ભાગરૂપે મહત્વની બેઠક નું આયોજન કરાયું હતું. તા. 17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ થી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સેવાકીય વિવિધ કાર્યક્રમો યોજાશે. તા. 17મી સપ્ટેમ્બરે ફ્રુટ વિતરણ, ઓગણવાડી બાળકોને પોષણ કીટ ,સગર્ભા બહેનોને સુખડી વિતરણ સહિત, વૃક્ષારોપણ ની કામગીરી કરવામાં આવશે અને સુપોષણ અભિયાન, લાભાર્થી સંપર્ક સંમેલનનું આયોજન કરાશે તો વિવિધ રામમંદિર અને શિવમંદિરમાં વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે.
તા. 18 મી સપ્ટેમ્બરથી 25 મી સપ્ટેમ્બર સુધી રક્તદાન કેમ્પ, આયુષ્માન આપકે દ્વાર કાર્યક્રમ ,મેડિકલ કેમ્પ,મન કી બાત કાર્યક્રમ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ,દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ સાથે સાથે બીજી ઓક્ટોબરે ગાંધીજયંતી નિમિત્તે ખાદી ખરીદી અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ તેમજ મારી માટે મારો દેશ કાર્યક્રમનું આયોજન ગ્રામ્યકક્ષાએ , તાલુકા કક્ષાએ યોજવામાં આવનાર હોવાનું જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ, સુરજગીરી ગોસ્વામી સહિત મંડળ મોરચાના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી અને ગોવિંદ પ્રજાપતિ એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી