fbpx

પાટણ પ્રજાપતિ ઇટોવાળા પંચ પરિવાર દ્વારા શ્રી ખીજડીયા વીર દાદા ના સાનિધ્યમાં 26 મો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરાયો..

Date:

યજમાન પરિવારના નિવા સ્થાનેથી શ્રી ખીજડીયા વીર દાદાની ફોટો પ્રતિમાની શોભાયાત્રા નિકળી..

પાટણ તા. 24 ભાદરવા સુદને નૌમ ને રવિવાર ના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ ઈંટો વાળા પંચ પરિવાર દ્વારા પાટણ સમીપ આવેલા શ્રી ખીજડીયા વીર દાદા ના મંદિર પરિસર ખાતે 26 માં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખીજડીયા વીર દાદા ના મંદિર ખાતે આયોજિત 26 મા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં યજમાન પદે ચંદુલાલ દલપતરામ પ્રજાપતિ સમી વાળા પરિવારે લ્હાવો લીધો હતો. જયારે મંદિર શિખર પર ધજા ચડાવવાનો લ્હાવો સંદીપભાઈ રમણલાલ પ્રજાપતિ થરાવાળા પરિવારે લઈ ધન્યતા અનુભવી હતી.

પાટણ પ્રજાપતિ ઈંટોવાળા પંચ પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાદરવા સુદ નૌમના દિવસે શ્રી ખીજડીયા વીર દાદાના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા 26 માં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞના આ ધાર્મિક પ્રસંગને લઈ શ્રી ખીજડીયા દાદા ની ફોટો પ્રતિમાની વાજતે ગાજતે શોભાયાત્રા યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન પામી શ્રી ખીજડીયા વીર દાદાના નિજ મંદિર પરિસરે સંપન્ન બની હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ ઈંટોવાળા પંચ પરિવારજનોએ ઉપસ્થિત રહી હવન યજ્ઞના દર્શન પ્રસાદના લાભ સાથે વિશ્વ કલ્યાણની કામના સાથે ધાર્મિક પ્રસંગને સફળ બનાવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related