પાટણ તા. 2
રાજ્ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ 2023 અંતર્ગત પાટણ જિલ્લાની 472 શાળાઓમાં તા.3 નવેમ્બરે એક જ સમયે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. એનસીઈઆરટી પરખ દ્વારા સમગ્ર રાજ્ય માં ત્રણ નવેમ્બરના રોજ સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે (એસઈએએસ) હાથ ધરાનાર છે, જેમાં ધોરણ 3-6 અને 9 ના સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ આ સર્વેમાં ભાગ લેનાર છે.જીસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લાની 472 શાળાઓમાં આ સર્વે યોજાનાર છે જેમાં 500 ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે બીએડ, એમએડ ગ્રેજ્યુએટ તાલીમાર્થીઓને અલગ અલગ તબક્કામાં આ અંગેની તાલીમ આપવામાં આવી હતી. તેમજ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ,બીઆરસી,સીઆરસીને પણ આ સમગ્ર પ્રોજેક્ટ અને કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણઅધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સંકલનમાં રહીને કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ પાટણ ખાતે ઝોનલ બનાવવામાં આવેલ છે ત્યાંથી તમામ સાહિત્ય તાલુકામાં અને તાલુકાથી શાળા સુધી વિતરણ કરવા માં આવેલ છે. ત્રણ નવેમ્બરના રોજ પાટણ જિલ્લાની 472 શાળાઓમાં એક જ સમયે ધોરણ ત્રણ, છ અને નવ મા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.આ સમગ્ર કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી તેમજ ડાયેટના પ્રાચાર્ય ડો.પિન્કીબેન રાવલ તેમજ ડીઈઓ કચેરીના ભરતભાઈ રાવલના માર્ગદર્શન નીચે કો ઓર્ડીનેટર પટેલ, રીકેશભાઈ સોલંકી, ડાયટના ડો.દશરથભાઈ ઓઝાકામગીરી કરી રહ્યા છે.
અહેવાલ યશપાલ સ્વામી