સમાજના યુવાનોએ દર રવિવારે પોતાના ઇષ્ટદેવની પ્રતિમાને સ્વચ્છ રાખવાના નવા વર્ષે સંકલ્પ લીધા..
પાટણ તા. ૩૧
આજની ૨૧ મી સદીના યુગમાં યુવાનો નવા વર્ષના આગમનને વધાવવા વિવિધ પાર્ટીઓના આયોજન કરતા હોય છે. ત્યારે પાટણ શહેરમાં બિરસા મુંડા ચોક ખાતે બિરાજમાન કરાયેલ આદિવાસી ભીલ સમાજ ના દાતા પરિવારો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી બિરસા મુંડા ની પ્રતિમાને આદિવાસી ભીલ સમાજ ના સેવાભાવી યુવાનો શીવમભાઈ રાણા, નિવૃત મામલતદાર એમ. કે. રાણા, ધમેન્દ્રભાઈ રાણા, અશોક ભાઈ રાણા સહિત ના યુવાનોએ સફાઈ અભિયાન થકી પ્રતિમાને પાણી થી સ્વચ્છ બનાવી નવા વષૅ ના આગમનને વધાવી દર રવિવારે પોતાના ઈષ્ટદેવ બિરસા મુંડા ની પ્રતિમાને સ્વચ્છ બનાવવાના સંકલ્પ ગ્રહણ કયૉ હતાં.
પાટણમાં આદિવાસી ભીલ સમાજના યુવાનો ની પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની આસ્થા અને વિસ્તારને સ્વચ્છ રાખવાની પ્રવૃત્તિ અન્ય સમાજના યુવાનો માટે પણ નવા વર્ષે પ્રેરણા રૂપ બનશે..
અહેવાલ યશપાલ સ્વામી