fbpx

વડાપ્રધાન દ્રારા ધાર્મિક સ્થાનકોને સ્વચ્છ બનાવવાના આહવાન ને ભાજપ અ.જા. મોરચાએ ચરિતાર્થ કર્યો…

Date:

વીર માયા દેવ મંદિર પરિસરને સ્વચ્છ બનાવી માયા દેવના દર્શન સાથે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી..

પાટણ તા. ૧૫
આગામી તા. ૨૨ મી જાન્યુઆરી ના પવિત્ર દિવસે અયોધ્યા મા ઉજવાનારા ભગવાન શ્રી રામચંદ્ર ના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.14 જાન્યુઆરી થી તા. 22 જાન્યુઆરી દરમિયાન દેશભરના તમામ ધર્મસ્થાનો ખાતે સ્વચ્છતા જન અભિયાન હાથ ધરવાના કરેલ આહવાન ને અનુસરી પાટણ સ્થિત વીર મેઘમાયા મંદિરમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રદ્યુમનસિંહ વાઝા સહિત ના આગેવાનો દ્વારા સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત સૌએ વીર મેધમાયા મંદિર પરિસરની સફાઈ કરી વીર મેઘમાયાના દર્શન સાથે આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

આ સફાઇ અભિયાનમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રદ્યુમન સિંહ વાઝા, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભાજપ અનુસુચિત જાતી મોરચાના પ્રદેશ મંત્રી ગંગારામ ભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ વશરામભાઈ, પ્રદેશ કારોબારી સભ્ય મહેશ ભાઈ જાદવ, મધુ બેન સેનમાં,પ્રવીણભાઈ પરમાર, ભાનુમતિ બેન મકવાણા સહિતના આગેવાનો તેમજ મોરચાના હોદેદ્દારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત  રહ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધાયણોજ સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમ્યાન સજૉતી વિજ ફોલ્ટ ની સમસ્યા નું નિરાકરણ લવાયું..

ધાયણોજ સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમ્યાન સજૉતી વિજ ફોલ્ટ ની સમસ્યા નું નિરાકરણ લવાયું.. ~ #369News

શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ અને ટ્રસ્ટીઓના સહયોગ થી સમાજના બાળકો ને સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી..

શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ અને ટ્રસ્ટીઓના સહયોગ થી સમાજના બાળકો ને સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી.. ~ #369News

પાટણ ના સાંતલપુર પંથકના 18 ગામોના અગરિયા પરિવારો ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર ઉતયૉ..

ન્યાય નહીં મળે તો આગામી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર...