વીર માયા દેવ મંદિર પરિસરને સ્વચ્છ બનાવી માયા દેવના દર્શન સાથે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી..
પાટણ તા. ૧૫
આગામી તા. ૨૨ મી જાન્યુઆરી ના પવિત્ર દિવસે અયોધ્યા મા ઉજવાનારા ભગવાન શ્રી રામચંદ્ર ના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.14 જાન્યુઆરી થી તા. 22 જાન્યુઆરી દરમિયાન દેશભરના તમામ ધર્મસ્થાનો ખાતે સ્વચ્છતા જન અભિયાન હાથ ધરવાના કરેલ આહવાન ને અનુસરી પાટણ સ્થિત વીર મેઘમાયા મંદિરમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રદ્યુમનસિંહ વાઝા સહિત ના આગેવાનો દ્વારા સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌએ વીર મેધમાયા મંદિર પરિસરની સફાઈ કરી વીર મેઘમાયાના દર્શન સાથે આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ સફાઇ અભિયાનમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રદ્યુમન સિંહ વાઝા, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભાજપ અનુસુચિત જાતી મોરચાના પ્રદેશ મંત્રી ગંગારામ ભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ વશરામભાઈ, પ્રદેશ કારોબારી સભ્ય મહેશ ભાઈ જાદવ, મધુ બેન સેનમાં,પ્રવીણભાઈ પરમાર, ભાનુમતિ બેન મકવાણા સહિતના આગેવાનો તેમજ મોરચાના હોદેદ્દારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ યશપાલ સ્વામી