fbpx

અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પાટણ મા અ.જા.મોરચાદ્રારા મહાઆરતી કરાઈ..

Date:

પાટણ તા. ૨૨
અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી પ્રસંગને અનુલક્ષીને પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શહેરના જળચોક, દુખવાડા ખાતે આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે મોરચાના પ્રદેશ મંત્રી ગંગારામભાઈ સોલંકી, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, મોરચા ના પ્રદેશ મીડિયા કન્વીનર મનીષભાઈ સોલંકી, રોહિત સમાજ ક્રેડીટ સોસાયટી ના ચેરમેન અશોકભાઈ પરમાર‌, મોરચા ના જિલ્લા મંત્રી પરેશા બેન, મોરચા ના જિલ્લા મહામંત્રી પાટણ શહેર અનુ જાતિ મોરચાના મહામંત્રી કશ્યપભાઈ શ્રીમાળી, દુઃખ વાડા રામદેવ પીર ભજન મંડળ ના બહેનો, કાર્યકરો ની વિશાળ ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામ ની મહા આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો એ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામચંદ્રજી ની મહા આરતી ના દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના સંખારી ગામે સમુબેન અન્નપૂર્ણા ભવન નું લોકાર્પણ કરાયું…

પાટણ તા. 9 પાટણ તાલુકાના સંખારી ગામે શનિવારે સમુબેન...