પાટણ તા. ૨૩
પાટણ શહેરના સુભદ્રા નગરમાં આવેલ અવની હોસ્પિટલ સહિત શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલ માં તા. ૨૨ જાન્યુઆરી એ અયોધ્યા ખાતે આયોજિત ભગવાન શ્રી રામચંદ્રજી ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ના શુભ મુહૂર્ત સમયે અને દિવસ દરમ્યાન કુલ 36 નવજાત શિશુ ના જન્મ થયા હોવાનું જાણવા મળ્યું છે. તો ભગવાન શ્રી રામચંદ્રજી ના પુન: પ્રાણ પ્રતિષ્ઠા ના મૂહૅત સમયે અને આજના પવિત્ર દિવસે પરિવારમાં જન્મેલા બાળકોને લઈ પરિવારજનો સાથે હોસ્પિટલો સ્ટાફ પરિવાર મા ખુશીની લહેર છલકાઇ હતી.
ભગવાન રામજી અયોધ્યા પધાર્યા તે જ સમયે શહેરની સુભદ્રા નગરમાં આવેલ અવની હોસ્પિટલ માં ચારૂપના રાજપૂત પરિવારની પરિણીતા ની ડો. વ્યોમેશ શાહ દ્વારા સફળ ડિલિવરી કરવતા બાળક નો જન્મ થતાં પરિવાર સહિત હોસ્પિટલ સ્ટાફે ખુશી વ્યક્ત કરી હતી.
તો અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી ના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પવિત્ર દિવસે અવની હોસ્પિટલ ની સાથે સાથે શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોમાં અને સરકારી હોસ્પિટલ માં કુલ 36 નવજાત શિશુ ના જન્મ થયા હોવાનું જાણવા મળ્યું છે.જે 36 નવજાત શિશુ મા 11 બેબી અને 25 બાળકો ના જન્મ થયા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી