fbpx

પાટણ જિલ્લાના સમી તાલુકાના ઐતિહાસિક વરાણા ખાતે શ્રી ખોડીયાર માતાજીના 15 દિવસ ચાલનારા મહા મેળા નો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ…

Date:

પાટણ તા. ૧૦
પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢીયાર પંથક ની અંદર વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢીયાર પંથકના આસ્થા નું કેન્દ્ર શ્રી ખોડીયાર વરાણા ધામ ખાતે સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ યોજાનાર ભવ્ય લોકમેળા નો શનિવારે ભક્તિ સભર માહોલમાં પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય,સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ઉદ્ઘાટન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વરાણા ખાતે યોજાતા મહા મેળામાં અંદાજિત 15 દિવસની અંદર 20 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડીયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશ ની લોકો આવતા હોય છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર વરાણા ખોડીયાર ધામ ખાતે લોકો તલ ની સાની ની પ્રસાદ કરે છે અને પોતાની બાધા માનતાઓ પરિપૂર્ણ કરી માતાજીના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ નજીક ની કુરેજા કેનાલ ની ભલાણા સાયફન માથી આધેડ ઈસમ ની લાશ મળી..

હારીજ નજીક ની કુરેજા કેનાલ ની ભલાણા સાયફન માથી આધેડ ઈસમ ની લાશ મળી.. ~ #369News

ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા દરમ્યાન 2100 મણ ચણા અને મગ નો પ્રસાદ વિતરણ કરાશે..

ચણા અને મગના પ્રસાદને તૈયાર કરવા યમુના વાડીના સંચાલકોએ...