fbpx

સગર્ભા બહેનોની સેવા કરવી એ મારી ફરજ છે અને તે ફરજ થી હું ખૂબ ખુશ છું : ડો.વી.એમ શાહ..

Date:

પાટણ તા. ૧૨
તાજેતરમાં પાટણના રેડ ક્રોસ ભવન ખાતે માતૃશ્રી રમાબાઇ આંબેડકરજીના જન્મજયંતી પ્રસંગે આયોજિત કરાયેલા સગર્ભા બહેનોના નિશુલ્ક નિદાન કેમ્પમાં સેવા આપનાર પાટણના જાણીતા ગાયનેક તબીબ ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા કેમ્પનો લાભ લેનાર તમામ સગર્ભા બહેનોને પોતાની અવની હોસ્પિટલ ખાતે નિશુલ્ક સારવાર અને નોર્મલ તેમજ સિઝેરિયન ડિલિવરી કરી આપવા માટેની જાહેરાત કરી હતી.

જે અનુસંધાને કેમ્પનો લાભ લેનારી 15 જેટલી જરૂરિયાતમંદ સગર્ભા બહેનો ને સોમવારના રોજ ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલ ખાતે નિશુલ્ક નિદાન કરી જરૂરી દવાઓ સાથે સગર્ભા કીટ અપૅણ કરવામાં આવી હતી.

અવની હોસ્પિટલ ખાતે ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા સગર્ભા બહેનોને નિશુલ્ક તપાસ અને સારવાર અર્થે આયોજિત કરાયેલા આ કેમ્પમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબેન સોલંકી, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના માનસીબેન ત્રિવેદી એ ખાસ ઉપસ્થિત રહી સેવાભાવી ગાયનેક તબીબ ડો. વ્યોમેશભાઈ શાહની જરૂરિયાત મંદ સગર્ભા બહેનોની કરાતી નિશુલ્ક સેવાને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ડોક્ટર વ્યોમેશ શાહે જણાવ્યું હતું કે સગર્ભા બહેનોની નિશુલ્ક સારવાર કરીને હું કોઈ તેઓની ઉપર ઉપકાર નથી કરતો પરંતુ સગર્ભા બહેનોની સેવા કરવી તે મારી ફરજ છે અને તે સેવાથી હું ખૂબ જ ખુશ છું.Nડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલ ખાતે આયોજિત કરાયેલા સગર્ભા બહેનો ના નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ ને સફળ બનાવવા હોસ્પિટલ ના પ્રહલાદભાઈ રાવળ સહિતના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પરીક્ષા કેન્દ્રો પર જુનિયર કલાકૅ ની પરિક્ષા શાંતિ પૂણૅ માહોલ મા સંપન્ન બની..

પાટણ પરીક્ષા કેન્દ્રો પર જુનિયર કલાકૅ ની પરિક્ષા શાંતિ પૂણૅ માહોલ મા સંપન્ન બની.. ~ #369News

પાટણને વધુ એક વખત ગૌરવ અપાવતા સરીયદના વતની લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી..

આર્મી ના લોખંડી પુરુષ નિતીન જોશી એ પોતાના શરીર...

નાલંદા વિદ્યાલય રાધનપુરમાં વાર્ષિકોત્સવ” રામોત્સવ – 2024 “ની ઉજવણી કરાઈ…

પાટણ તા. 29રાધનપુર નાલંદા વિધાલય નો વાર્ષિકોત્સવ "રામોત્સવ-2024" ની...