પાટણ તા. ૧૬
તન્ના કુટુંબના કુળદેવી વાંકલ માતા ના તીર્થધામ વાલેવડા ખાતે જઈ રહેલ થરા થી વાલેવડા પદયાત્રી સંઘ નું હારીજ ખાતે સ્વ.ધીરજલાલ કુબેરદાસ પરિવાર દ્વારા પદયાત્રી સંઘ નું ભવ્ય સામૈયુ કરી શોભાયાત્રા સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.વાલેવડા ખાતે માતાના દર્શને જઇ રહેલ પદયાત્રીઓએ હારીજ મુકામે આવેલ વાંકલ માતા ના મંદિર પરિસરમાં રાત્રી રોકાણ અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ભજન કિતૅન ની રમઝટ બોલાવી વાતાવરણ ને ભક્તિ
મય બનાવ્યું હતું.વાંકલ માતા ના તીર્થધામ વાલેવડા જઈ રહેલ પદયાત્રી સંઘ તેમજ વાંકલ માતા ના દર્શન સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી તન્ના કુટુંબ સહિત હારીજના નગરજનો સાથે ખાસ યજમાન ભાવેશભાઈ ધીરજલાલ તન્ના એ પોતાના જન્મદિવસ હોવાથી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી