fbpx

હારીજ ના શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના આયોજન અંગે બેઠક મળી..

Date:

પાટણ તા. ૧૪
હારીજ તાલુકાના જુનામાંકા શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ ખાતે શ્રી મદ ભાગવત કથા ના અયોજન નિમિતે મીટીંગ યોજાઈ હતી. વઢિયાર વિસ્તારની પૂણ્ય ભજન ભૂમિ જુના માકા ગામે આવેલ શિવ સંગમ સન્યાસ આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત શ્રી સ્વામિ કૌશલાનંદગીરીજી મહારાજ ની દિવ્ય ચેતનારૂપી આશિર્વાદથી સર્વજન હિતાય સર્વજન સુખાય સમસ્ત જૂના મોંકા ગ્રામજનોના સહયોગ થી પંચમુખી હનુમાનજી આદિપુર કચ્છ પુજ્ય બ્રહ્મચારીજી પ્રકાશાનંદ બાપુના અધ્યક્ષસ્થાને આગામી તારીખ 9/4/2024થી 15/4/2024 ચૈત્રસુદ એકમ થી નુમ સૂધી શ્રી મદ ભાગવત સપ્તાહ કથા વક્તા શ્રી શાસ્ત્રી વિપુલભાઈ છોટાપરવાળા હાલ સામખયારી ના સ્વમુખે કથા રસપાન કરાવશે. કથા ના સહયોગી શ્રી વિજયગીરીજી મહારાજ ગરનાળા, સીતારામ બાપૂ અંતરજળ, હંશાગીરીજી માતાજી મોરબી, જગદીશ ચેતન્ય મહારાજ મનોરમા ગૌધામ, રામ કંડારજી મહારાજ ના આશિર્વાદથી શ્રી મદ ભાગવત સપ્તાહ કથા ના ભવ્ય અયોજન નિમિતે ગત રોજ શિવ સંગમ સન્યાસ આશ્રમ અને ગોદડિયા પ્રાગદાસ બાપુ રામમઢી વાળાની તપોભૂમિ જુનામાકા ગામે ગ્રામજનો ભાવિકભક્તો દ્વારા શ્રી ભાગવત સપ્તાહ કથાના આગામી આયોજનના ભાગરૂપે મીટીંગ યોજાઈ હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત વાહન ચાલકોને માગૅદશૅન આપવામાં આવ્યું..

માજિસા પેટ્રોલ પંપ ખાતે આયોજિત કાર્યક્રમમાં 50 થી વધુ...

પાટણના ૧૨ પરિક્ષા કેન્દ્રો ઉપર ૨૧૦૭ વિધાર્થીઓએ ગુજકેટ ની પરિક્ષા આપી…

૧૧૯૫ વિધાર્થીઓ અને ૯૧૨ વિધાર્થીનીઓએ ત્રણ સેશનમાં શાંતિ પુણૅ...

પાટણના નોરતા ધામના પ. પુ. સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે 49 મા રામ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ..

પ.પુ.દોલતરામ બાપુ અને પ.પુ.વિશ્વભારતજી દ્રારા ઉત્સવમાં સહભાગી થનાર ભાવિક...

પાટણ યુનિવર્સિટી મા NSS કો-ઓર્ડીનેટરની ભરતી માટે પસંદગી પામેલા 10 ઉમેદવારો ના ઈન્ટરવ્યુ યોજાયા..

પાટણ તા. 2હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં NSS કો-ઓર્ડીનેટર ની...