પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગની આજુબાજુ 200 મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ દુકાનો બંધ રાખવી પડશે..
પાટણ તા. ૨૮
પાટણ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.31 માચૅ ને રવિવાર ના રોજ સવારના 9 થી 16 કલાક દરમિયાન ગુજકેટ પરીક્ષા યોજાનાર છે. તેમજ જિલ્લામાં ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.30 માચૅ ને શનિવાર ના રોજ સવારે 10.30 થી 13.00 તથા 15.00 થી 17.30 જિલ્લામાં જુદા-જુદા કેન્દ્રો ઉપર જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના પરીક્ષા યોજાનાર છે. તેથી આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગની આજુબાજુ 200 મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ દુકાનો બંધ રાખવી પડશે તેમજ માણસોના ટોળા એકઠા ના થાય તેમજ પરીક્ષા સમય દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી. એસ. પટેલ, જી. એ. એસ. પાટણ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર સદર પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી 200 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ પરીક્ષા સમય દરમિયાન મોબાઈલ /સેલ્યુલર/ ફોન /પેજર/કાર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહી. પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષા સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલા હોય તે સિવાયના ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવુ અથવા ભેગા થવુ નહી. સુત્રો પોકારવા નહી કે સરઘસ અથવા રેલી કાઢવી નહી, પથ્થર કે અન્ય આ પ્રકારના પદાર્થ લઈ જવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોની 200 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહી. આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ અને પરીક્ષા સમિતિના અધિકારીઓ તથા પરીક્ષા કામગીરીમાં તેમજ બંદોબસ્તમાં રોકાયેલ સ્ટાફના માણસો,સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ પાટણ, સિધ્ધપુર, રાધનપુર, સમી તથા એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ તમામ જિ. પાટણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડના તમામ અધિકારીઓને લાગુ પડશે નહિ. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરી કોઈ વ્યક્તિ પાસેથી મોબાઈલ,સેલ્યુ
લર ફોન, પેજર, કાર્ડલેસ, ફોન, સ્માર્ટ વોચ, ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવશે તો સ્થળ ઉપરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ-188 મુજબ ફરીયાદ પણ દાખલ કરવામાં આવશે.
અહેવાલ યશપાલ સ્વામી