![](https://369news.in/wp-content/uploads/2024/04/The-procession-left-in-Patan-caused-chaos-with-swarms-of-madhyamakhis-flying-a-bee-stinging-away-a-huge-fruit.2-jpg.webp)
મધમાખીના ઝુડે 25 થી વધુ ભકતો ને ડંખ મારતા 10 ભકતો ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..
પાટણ તા. ૨
પાટણના લિબચ માતાજી ના મંદિર ખાતે દહેગામ થી મંગળવારે 5 જેટલી બસ મારફતે 300 જેટલા શ્રદ્વાળુઓ માતાજીની 52 ગજ ની ધજા સાથે આવી માતાજી ની ડીજે ના ભક્તિ સંગીત ના તાલે શોભા યાત્રા યોજી હતી તે સમયે શહેરના જુના કાળકા માતાજી નજીક ઝાડ પર નો મધપૂડો છંછેડતા ભમરાં ઉડયા હતાં અને શોભાયાત્રા મા જોડાયેલા ભકતો ને ડંખ મારતા અફડાતફડી મચી જવા પામી હતી તો એક ભકતને ભમારા નું ઝેર ચડતાં મૃત્યુ નિપજતા ધામિર્ક ઉત્સવ માતમમાં છવાયો હતો. આ ઘટનાની મળતી હકીકત મુજબ દેહગામ થી પાટણ લિમચ માતાજી ના દશૅનાર્થે 5 જેટલી સ્પેશ્યલ લકઝરી બસોમાં 52 ગજની ધજા ચડાવવા આવેલ હતાં અને શહેરના જુના કાળકા મંદિર નજીક થી વાજતે ગાજતે ધજા ચઢાવવા માટે લિબંચ માતાના દર્શને જતા હતા.
![](https://369news.in/wp-content/uploads/2024/04/The-procession-left-in-Patan-caused-chaos-with-swarms-of-madhyamakhis-flying-a-bee-stinging-away-a-huge-fruit.1-1024x575.webp)
ત્યારે શહેર ના ફાટીપાળ દરવાજા નજીક ડીજે ના અવાજ ના કારણે ઝાડ પરના ભમરા મધ ઉડતા અફરા તફરી મચી હતી આ સમય દરમિયાન શોભા યાત્રા માં મધમાખીના ઝુંડે દર્શનાર્થીઓ પર અચાનક હુમલો કરી દીધો હતો.મધમાખીએ 25થી વધુ ભકતો ને ડંખ માર્યા હતા જેમાં 10 લોકોને ભમરા ના ઝેરની અસર થતાં 108 દ્રારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકીના દહેગામના નિવૃત જીઈબી કમૅચારી ઉદયભાઈ મંગળભાઇ પારેખ નામના વ્યક્તિ ને ઝેરી મધ માખી ઓએ અંસખ્ય ડંખ મારતા તેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજતા ધામિર્ક ઉત્સવ નો પ્રસંગે શોકમાં ફેરવાયો હતો. પાટણ ના લિબચ માતાજી મંદિરે ધજા ચડાવવા આવેલ દહેગામ ના 84 વાળંદ સમાજના આ ધામિર્ક કાર્યક્રમ દરમિયાન બનેલી ઘટના પાટણ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.
અહેવાલ યશપાલ સ્વામી