નિયમિત અને એકાગ્રતા સાથે ના અભ્યાસ અને વાંચન થી સફળતા મેળવી શકાય છે : ધમૅ બારોટ..
પાટણ તા. 13
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર) શ્રીમતી ગીતાબેન રાકેશ કુમાર શાહ વિદ્યાસંકુલ, પાટણના વિદ્યાર્થી ધર્મ મયૂરકુમાર બારોટે માચૅ 2024- મા લેવાયેલી ધો. 10 એસ એસ સી બોડૅની પરિક્ષામાં 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્ય માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા પરિવાર સાથે સહિત સમગ્ર બારોટ સમાજ અને ગુજરાત ને ગૌરવ પ્રદાન કયુઁ છે ત્યારે ધમૅ બારોટની તેના ઘરે રૂબરૂ મુલાકાત મેળવી તેની સફળતાના રહસ્ય સાથે તેના જીવનમાં તે આગળ શું અભ્યાસ કરી પરિવારનું નામ રોશન કરવા માગે છે..
તે જાણવાનો પ્રયાસ કરતા ધમૅ બારોટે પોતાની આ સિધ્ધી પાછળ તેની શાળાના ગુરૂવયૅ સહિત શાળા સંચાલક મંડળની પ્રેરણા સાથે માતા- પિતાના આશિર્વાદ અને નિયમિત એકાગ્રતા સાથે ના વાંચન ને લીધે આ સફળતા હાંસલ કરી હોવાનું જણાવી આગળ તે આઈઆઈટી નો અભ્યાસ કરી પરિવારજનોનું નામ રોશન કરવાની તમન્ના વ્યકત કરી બોડૅ ની પરિક્ષા આપનાર તમામ વિધાર્થીઓને નિયમિતપણે એકાગ્રતા સાથે અભ્યાસ કરવાથી સફળતા પ્રાપ્ત થતી હોવાની પ્રેરણા પ્રદાન કરી પોતાના આ પરિણામ થી તે ખૂબજ ખુશી મહેસુસ કરતો હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી