પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ના સભ્યોને આધ્યાત્મિકતા નું જ્ઞાન પિરસતા બ્રહ્માકુમારી નીલમ દીદી…

પાટણ તા. ૧૪
પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ ખાતે ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના પ. પૂ. નીલમ દીદીએ આધ્યા ત્મિકતા વિશે જ્ઞાન પ્રદાન કયુઁ હતું. સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નીલમ દીદી દ્વારા આધ્યાત્મિકતા વિશે ઉપર સુંદર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજના આ વર્તમાન યુગમાં નાની નાની બાબતોમાં કોઈ કાંઈ બોલી જાય છે

ત્યારે ખોટું લાગી જાય છે અને ઉગ્ર સ્વભાવના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે ત્યારે આધ્યાત્મિકતા અને રાજયોગ દ્વારા મનોબળ વધે છે યાદ શક્તિ વધે છે એકબીજાને સમજી શકીએ છીએ અને જીવનમાં નાની મોટી વાતોને ભૂલી જવી જોઈએ કોઈ કાંઈ કહે તો મન ઉપર ન લેવું જોઈએ આ બધું જીવનમાં આધ્યાત્મિક માર્ગ પર ચાલવાથી જીવનમાં શાંતિ લાવી શકાય છે.

આ પ્રસંગે કાઉન્સિલ વતી આવેલ નીલમ દીદી તથા નિધિ દીદી નું કાઉન્સિલ ના પ્રમુખ રમણલાલ પટેલ દ્વારા સાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાઉન્સિલના તમામ સભ્યો એ આધ્યાત્મિક જ્ઞાનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.