સ્વ. ની અંતિમયાત્રા મા મોટી સંખ્યામાં લોકો એ જોડાઈ સ્વ. ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી..
પાટણ તા.૨૬
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય સાથે વર્ષોથી જોડાયેલા અને ઉત્તર ગુજરાત વિજ કંપનીમાં પોતાની નિષ્ઠા અને પ્રામાણિક પણે ફરજ બજાવી નિવૃત થયેલ પાટણના મરાઠી સમાજ દ્વારા ચાલતાં ગણેશોત્સવ ના અધ્યક્ષ, સ્પષ્ટ વક્તા, વાંચનપ્રેમી અને સારા વહીવટકાર, શિસ્તપ્રેમી સુરેશભાઇ દેશમુખ નું શનિવારે આકસ્મિક અવસાન થતાં લાઈબ્રેરી પરિવાર સહિત તેમના સગા-સંબંધી અને સ્નેહી
જનો મા ધેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.
સ્વર્ગસ્થ ની અંતિમયાત્રા મા પાટણ ફતેહસિંહ રાવ લાઈબ્રેરી પરિવાર ના પ્રમુખ, મંત્રી, ખજાનચી સહિત ના સભ્યો સાથે પાટણનાં પ્રબુદ્ધ નગરજનો અને વિધુત બોડૅના અધિકારીઓ, કમૅચારીઓ સાથે મૃતક ના સગા-સંબંધી અને સ્નેહીજનો જોડાયા હતા.અને સ્વ. ના પાર્થિવ દેહને શ્રદ્ધા સુમન સમર્પિત કરી તેઓના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી પરિવારજનો ઉપર આવી પડેલ દુઃખની ઘડીને સહન કરવા માટે સાત્વના પાઠવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી