વરસાદ ખેચાતા એરંડા, જુવાર અને કપાસના વાવેતર મા નુકશાન ની ભીતી સેવતા ખેડૂતો..
પાટણ તા. 9 પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ મોં ફેરવી લેતા પંથકના ખેડૂતો ની હાલત કફોડી બની છે. ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખેડૂતો એ વરસાદ ખેચાતા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સરકાર દ્વારા વિજ બીલ માફ કરવામાં આવે તેવી માગ કરી છે.
પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા સરસ્વતી તાલુકાના ખેડૂતોએ પોતાની હૈયા વરાળ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વરસાદ ખેચાવાના કારણે હાલમાં એરંડા,જુવાર અને કપાસ ના પાકોમાં ખેડૂતો ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં વરસાદ ખેચાયો છે જેના કારણે 80℅ વાવેતર ફેલ થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બીજી તરફ ભૂગર્ભ જળના તળ પણ 1 હજાર ફુટ નીચે ઉતયૉ છે. જેના કારણે ખેડૂતો ને વિજ ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે સરસ્વતી પંથકના ખેડૂતો એ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા અને વિજ બીલ માફ કરવાની માગ કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી