અકસ્માત સમયે માર્ગ પરથી કોઈ વાહન ચાલક કે રાહદારી પસાર થતો ન હોય જાનહાની ટળી..
પાટણ તા. ૫
પાટણના હાઇવે માર્ગો પરથી પૂર ઝડપે ને ગફલત ભરી રીતે પસાર થતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા બનાવો સર્જાતા હોય છે અને આવા માર્ગ અકસ્માતના બનાવવામાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોવાના બનાવો પણ બનતા હોય છે ત્યારે બુધવારના રોજ પાટણ થી હાંસાપુર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે પોતાનો ટર્બો હંકારીને જતા ટર્બો ના ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટર્બો માર્ગ પરના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જો કે આ અકસ્માત દરમિયાન માર્ગ પરથી અન્ય કોઈ વાહન કે રાહદારી પસાર થતો ન હોય મોટી જાનહાનિ ટળી હતી.
અહેવાલ યશપાલ સ્વામી