fbpx

સિદ્ધપુરના કાકોશી ગામના તળાવમાં કોઈ કારણોસર અસંખ્ય માછલીઓ અને માછલાઓ મોતને ભેટયા..

Date:

પાટણ તા. ૧૨
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અને ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાયો છે લોકો ગરમીથી બચવા બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો અસહ્ય ગરમી ના કારણે અથવા અન્ય કોઈ પણ કારણો સર છેલ્લા બે દિવસથી સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામના મુખ્ય તળાવ માં અસંખ્ય માછલીઓ અને માછલાઓ મૃત પામતા હોવાની ધટના પ્રકાશમાં આવવા પામી છે.

કાકોશીના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતને લઈને દુર્ગંધ મારવાની સાથે રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ ગ્રામજનોમાં ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા તળાવમાં મૃત પામેલી માછલીઓ અને માછલા ઓનો તાત્કાલિક નિકાલ કરી માછલા અને માછલીઓ મરવાના કારણ ને જાણી તેના નિરાકરણ માટે વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે તેવી માગ ગ્રામજનોમાં પ્રબળ બનવા પામે છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ – EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય ગણાશે…

પાટણ તા. ૨૨લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન...