fbpx

શ્રી પદ્મનાભવાડી પરિસરમાં કપીરાજો અને શ્ર્વાનોને પાણી પીવા માટે એકટીવ ગૃપ તરફથી 8 ટાંકીઓ અપૅણ કરાઈ..

Date:

પાટણ તા. ૧૨
પાટણમાં સેવાકીય પ્રવૃત્તિ કરી આગવી લોકચાહના પ્રાપ્ત કરનાર એક્ટિવ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં અબોલ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા અને પાણીની કુંડીઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે એક્ટિવ ગ્રુપ દ્વારા યશપાલ સ્વામી અને રાજેશ ભાઈ પ્રજાપતિ ( ખન્નાભાઈ) ની પ્રેરણાથી પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાથજીના વાડી પરિસર મા આશ્રય લઈ રહેલા અસંખ્ય કપીરાજો અને શ્ર્વાનો ને પીવા માટે પાણીની 8 ટાંકી અપૅણ કરવામાં આવી છે.

શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી મા અબોલ જીવો પ્રત્યે પ્રેમ અને કરૂણા ની ભાવના સાથે સેવા કરતાં રાજેશભાઈ પ્રજાપતિ ( ખન્નાભાઈ) દ્રારા આ કુંડી ઓને વાડી પરિસરમાં જુદી જુદી જગ્યાએ મુકીને તે કુડીઓ મા નિત્ય સવાર સાંજ પાણી ભરવામાં આવતા વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલા કપી રાજો અને શ્વાનો તેનો લાભ લઈ ઉનાળાની ગરમી માં રાહત અનુભવી રહ્યા છે.

આ અબોલ જીવો ની સેવાનું કાર્ય કરનાર પાટણ એક્ટિવ ગ્રૂપ અને આ સેવા ને સાચા અર્થમાં ચરિ તાર્થ કરતા રાજેશભાઈ પ્રજાપતિ (ખન્નાભાઈ) ની સેવાને પાટણ પ્રજાપતિ સમાજ અને શ્રી પદ્મનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સરાહનીય લેખાવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સંદેશના પાટણ જિલ્લા બ્યુરો ચિફ હિમાંશુભાઈ વ્યાસ ની સુપુત્રી ચિ.વંશી એ ધો.12 કોમસૅ મા 98.40 પીઆર સાથે સિધ્ધી હાંસલ કરી..

સંદેશના પાટણ જિલ્લા બ્યુરો ચિફ હિમાંશુભાઈ વ્યાસ ની સુપુત્રી ચિ.વંશી એ ધો.12 કોમસૅ મા 98.40 પીઆર સાથે સિધ્ધી હાંસલ કરી.. ~ #369News

પાટણની આદર્શ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માંથી બોર્ડ ની પરીક્ષાનો હાઉ દૂર કરવા નવતર પ્રયાસ..

વિદ્યાલય ની પ્રિલિમ પરીક્ષાનો બોર્ડ પદ્ધતિ મુજબ પ્રારંભ કરાયો.. વિદ્યાર્થીઓએ...

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ મા સરદાર સરોવર નમૅદા નિગમ સહિત રોડ,રસ્તા અને દબાણો ના પ્રશ્નો રજુ થયા.

જિલ્લા કલેકટર દ્વારા જેતે વિભાગના અધિકારીઓને સુચના આપી પ્રશ્નોનું...