મુસ્લિમ અને રાણા પરિવારના યુવાનો વર્ષોથી ભગવાનના રથોની સફાઈ કરી ધન્યતા અનુભવે છે.
પાટણ તા. ૨૮
જગન્નાથ ભગવાન,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે ત્રણ ચાંદી મઢીત રથોમાં ચાલુ વર્ષે શહેરની 142 મી નગર ચર્યા એ નીકળવાના છે તે ત્રણેય ચાંદી મઢીત રથોની છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ અને પાલીસ કામ ગીરી હરેશભાઈ રાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે.તો ત્રણેય રથો ના પૈડાઓ ને ઓઇલ અને ગ્રીસ નું કામ મુસ્લીમ યુવાન ઐયુબભાઈ દ્રારા કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ તેઓ દ્વારા ઉપરોક્ત કામગીરી ખૂબ સુંદર રીતે હાથ ધરવામાં આવી છે.
ભગવાનના ત્રણેય રથોની વર્ષોથી સફાઈ કામગીરી કરતા ઉપરોક્ત બંને યુવાન ઐયુબભાઈ અને હરેશ ભાઈ એ જણાવ્યું હતું કે ભગવાન જે રથોમાં બિરાજમાન બની શહેરની નગરચયૉ એ નીકળે છે તે રથો ની સફાઈ કામગીરી કરવાનો આનંદ અનેરો હોય છે અમે આ કામગીરી કરી અમારી જાતને ધન્યભાગ માની એ છીએ અને ભગવાનની સેવા માટે કરાતી આ કામગીરી થી આખું વષૅ અમારી ઉપર ભગવાન ના આશીર્વાદ રહે છે અને અમારા ધંધા રોજગાર મા બરકત રહેતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી